રવિવારે ઇંગ્લન્ડ જવા રવાના થશે પાકિસ્તાની ટીમ, 10માંથી 6 કોરોના પોઝિટિવ સાજા થયા
રવિવારે ઇંગ્લન્ડ જવા રવાના થશે પાકિસ્તાની ટીમ, 10માંથી 6 કોરોના પોઝિટિવ સાજા થયા
નવી દિલ્હીઃ પીસીબી 20 ખેલાડીઓ અને 11 સહયોગી સ્ટાફ સાથે રવિવારે ઇંગ્લેન્ડના પોતાના પહેલા પ્રવાસ માટે રવાના થશે, શનિવારે 10 કોરોના વાયરસ સંક્રમિત ક્રિકેટરોના ફરી ટેસ્ટ કરવામાં આવતાં છના ટેસ્ટ નેગેટિવ આવ્યા. પાકિસ્તાન ક્રિકટ બોર્ડે કહ્યું કે ટીમ મેનચેસ્ટર માટે રવાના થશે.
પીસીબીના મુખ્ય કાર્યકારી અધિકારી વસીમ ખાને સંવાદદાતાઓ સાથે વાતચીત કરતા કહ્યું કે પેસર મૂસા ખાન અને વિકેટકિપર- બેટ્સમેન રોહેલ નજીર, જેઓ રિઝર્વ ખેલાડીઓમાંથી હતા, તેમના ટેસ્ટ નકારાત્મક આવ્યા અને તેઓ પણ ટીમ સાથે રવાના થશે.

વસીમ ખાને સ્પષ્ટતા કરી કે જે 10 ખેલાડીઓ પહેલા કોરોના પોઝિટિવ હતા, તેમના સતત બે ટેસ્ટ નેગેટિવ આવ્યા બાદ જ ઇંગ્લેન્ડ મોકલવામા આવશે. જે 10 ખેલાડીઓ અને એક અધિકારી કોરોના પોઝિટિવ આવ્યા હતા તે છે ફખર જમાન, મોહમ્મદ હુસનૈન, મોહમ્મદ હાફીઝ, મહમ્મદ રિઝવાન, શાદાબ ખાન અને વહાબ રિયાજ, આ તમામનો બીજો ટેસ્ટન નેગેટિવ આવ્યો છે.
જ ખેલાડીઓ ફરીથી પોઝિટિવ મળી આવ્યા છે તેમાં હૈદર અલી, હારિસ રઉફ, કાશિફ ભટ્ટી, ઈનરાન ખાન અને મસ્તૂર મલંગ અલી સામેલ છે. જેમના ટેસ્ટ નેગેટિવ આવ્યા છે તેમનો આગલા અઠવાડિયે ત્રીજો ટેસ્ટ થશે અને જો તે નેગેટિવ આવે તો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ તેમને ઇંગ્લેન્ડ મોકલવાની વ્યવસ્થા કરશે.
મુખ્ય કાર્યકારી અધિકારીએ કહ્યું કે મેનચેસ્ટર પહોંચવા પર સ્ક્વૉડને વોરસેસ્ટરશાયર લઇ જવામા ંઆવશે જ્યાં તેઓ ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડના પરીક્ષણથી પસાર થશે, તે દરમિયાન તેમને પ્રશિક્ષિત કરવાની મંજૂરી આપવામાં આવશે.
ઓગસ્ટ- સપ્ટેમ્બરમાં ઇંગ્લેન્ડ વિરુદ્ધ પોતાની ત્રણ ટેસ્ટ અને ત્રણ ટી 20 આંતરરાષ્ટ્રીય શ્રૃંખલાની તૈયારી માટે પાકિસ્તાન 13 જુલાઇએ ડર્બીશાયર તરફ જશે.
રવિવારે રવાના થનાર ખેલાડીઓમાં અજહર અલી, બાબર આજમ, આબિદ અલી, અસફ શફીક, ફહીમ અશરફ, ફવાદ આલમ, ઇફ્તિખાર અહમદ, ઇમાદ વસીમ, ઇમામ ઉલ હક, ખુશિલ શાહ, મોહમ્મદ અબ્બાસ, મૂસા ખાન, નસીમ શાહ, રોહેલ નજીર, સરફરાજ અહમદ, શાહીન શાહ અફરીદી, શાન મસૂદ, સોહેલ ખાન, ઉસ્માન શેનવારી અને યાસિર શાહ છે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ








Click it and Unblock the Notifications
