પાકિસ્તાનના આ ક્રિકેટરે ફિક્સિંગની વાત કબૂલ કરી, માફી પણ માંગી
પાકિસ્તાન ક્રિકેટ પર વધુ એક ફિક્સિંગનું કલંક પાક્કું થઇ ગયું છે. વર્ષ 2012 દરમિયાન ઇંગ્લિશ કાઉન્ટરીમાં થયેલી મેચ ફિક્સિંગ અંગે દાનિશ કનેરિયાએ મેચ ફિક્સિંગ આરોપ કબૂલ કરી લીધો છે.
પાકિસ્તાન ક્રિકેટ પર વધુ એક ફિક્સિંગનું કલંક પાક્કું થઇ ગયું છે. વર્ષ 2012 દરમિયાન ઇંગ્લિશ કાઉન્ટરીમાં થયેલી મેચ ફિક્સિંગ અંગે દાનિશ કનેરિયાએ મેચ ફિક્સિંગ આરોપ કબૂલ કરી લીધો છે. 6 વર્ષ પહેલા થયેલી આ મેચ ફિક્સિંગ સાજિશકર્તા અને પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર દાનિશ કનેરિયાએ પોતાનો ગુનાહ કબૂલ કરી લીધો છે. તેની સાથે સાથે તેમને ક્રિકેટ ફેન્સ પાસે માફી પણ માંગી છે. અલ જજીરાની એક ડોક્યુમેન્ટ્રીમાં દાનીશે પોતાનો ગુનાહ કબૂલ કર્યો છે.

આજીવન બેન લાગ્યો હતો
ફિક્સિંગનો આ મામલો જયારે સામે આવ્યો ત્યારે ઇંગ્લિશ ક્રિકેટ બોર્ડએ દાનિશ કનેરીયા પર આજીવન પ્રતિબંધ લગાવી દીધો હતો. આ પ્રતિબંધ દુનિયાના બધા જ ક્રિકેટ બોર્ડ માને છે. આ પ્રતિબંધ પછી કનેરીયા ક્યારેય પણ ફર્સ્ટક્લાસ ક્રિકેટ નથી રમી શક્યા.
આ પણ વાંચો: ક્રિકેટરનો ખુલાસોઃ મેચ ફિક્સિંગ માટે થઇ હતી કૉલગર્લની ઓફર
શુ હતો મામલો
વર્ષ 2009 દરમિયાન થયેલી આ ઘટનામાં કાઉન્ટરી ક્લબ ઍક્સેસ ખેલાડી માર્વિન વેસ્ટફિલ્ડ એ ભારતીય બુકી અનુ ભટ્ટ પાસેથી 6000 બ્રિટિશ પૉઉન્ડની લાંચ લીધી. લાંચ આપવાની શરત હતી કે તેને ડરહામ વિરુદ્ધ 40 ઓવરની મેચમાં પોતાની પહેલી ઓવરમાં 12 રન આપશે. પરંતુ તેને 10 રન જ આપ્યા તેમ છતાં તેને પૈસા આપવામાં આવ્યા હતા.
દાનિશ કનેરીયા પર આરોપ હતો કે તેને આ ફિક્સિંગમાં મિડલમેનની ભૂમિકા નિભાવી હતી. પરંતુ કનેરીયા વિરુદ્ધ કોઈ પણ પુરાવા મળ્યા નહીં. જયારે માર્વિનને આ આરોપ માટે 2 મહિના જેલમાં રહેવું પડ્યું હતું. કનેરિયાએ પોતાનો ગુનાહ કબૂલ કરતી વખતે માર્વિન પાસે માફી પણ માંગી છે.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો





Click it and Unblock the Notifications
