2023 ODI વર્લ્ડકપ બાદ કોને મળવી જોઇએ ટીમ ઇન્ડિયામાં જગ્યા રવિ શાસ્ત્રીએ જણાવી પોતાની પસંદ

Ravi Shastri Named Hardik Pandya New White Ball Captain: આ વર્ષના અંતમાં ભારતમાં રમાનાર 2023 વનડે વર્લ્ડકપ બાદ સંભવિત ભારતીય ક્રિકેટ ટીમને સિમિત ઓવરના ક્રિકેટમાં એક નવા કેપ્ટન મળી જશે. જો કે, તેની ચર્ચા અત્યારથી જ શરુ થઇ ગઇ છે. ટીમ ઇન્ડિયાના પૂર્વ હેડકોચ રવિ શાસ્ત્રી જણાવ્યુ છે કે, વનડે વર્લ્ડકપ બાદ કોને ટીમ ઇન્ડીયાની કેપ્ટનશીપ મળવી જોઇએ.

ravi shastri

રવિ શાસ્ત્રીનું માનવુ છે કે, 2023 વનડે વર્લ્ડકપ બાદ રોહિત શર્મા પાસેથી વન્ડે અને ટી20 ઇન્ટરનેશનલની કેપ્ટનશીપ લઇ લેવી જોઇએ અને હાર્દિક પંડ્યાને બંને ફોર્મેટમાં નિયમિત કેપટ્ન બનાવી દેવો જોઇએ. જણાવી દઇએ કે 2022 ટી20 વર્લ્ડકપમાં ભારત ખરાબ પ્રદર્શન બાદથી હાર્દિક પંડ્યા જ ટી 20 માં કેપ્ટેનશીપ કરી રહ્યા છે.

ધી વીકને આપેલા ઇન્ટરવ્યુમાં પીર્વ હેડ કોચે રવિ શાસ્ત્રીએ કહ્યુ કે, "મને લાગે છે કે, હાર્દિક પંડ્યાની બોડી ટેસ્ટ ક્રિકેટનો સામનો નહી કરી શકે. 2023 વનડે વર્લ્ડ કપ બાદ તેમને સિમિત ઓવરની કેપ્ટનશીપ સંભાળવી જોઇએ. વર્લ્ડકપમાં રોહિત શર્મા કેપ્ટન હશે. તેમા કોઇ શંકા નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X