Ravichandran Ashwin Retirement : આર અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતિની જાહેરાત કરી
Ravichandran Ashwin Retirement : ભારતીય ટીમમા સ્ટાર સ્પીન બોલર રવિચંદ્રન અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું છે. તેણે ગાબા ટેસ્ટ બાદ તરત આ જાહેરાત કરી.
રવિચંદ્રન અશ્વિને આ જાહેરાત કરીને તમામ લોકોને ચૌકાવ્યા છે. કોઈ ક્રિકેટ ફેન્સને અંદાજ નહોતો કે અશ્વિન આટલી જલ્દી ક્રિકેટ છોડી શકે છે.

ગાબા ટેસ્ટ સમાપ્ત થયા પછી તરત જ અશ્વિનના નિવૃત્તિના સમાચાર આવ્યા. અશ્વિને તાત્કાલિક અસરથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. રોહિત શર્માએ કહ્યું કે અશ્વિને પર્થમાં પણ નિવૃત્તિ વિશે વાત કરી હતી. ટીમ તેના નિર્ણય સાથે સહમત હતી.
2011માં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ દિલ્હી ટેસ્ટ મેચમાં ડેબ્યૂ કરનાર અશ્વિને પોતાની બોલિંગથી ધૂમ મચાવી હતી. ભારત માટે સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેનારા ખેલાડીઓમાં તે બીજા નંબરે છે. તેના નામે કુલ 537 વિકેટ છે. તેણે એક ઇનિંગ્સમાં સૌથી વધુ વખત પાંચ વિકેટ લેવાનો રેકોર્ડ પણ કર્યો છે. અશ્વિને 37 વખત 5 વિકેટ લીધી છે.
આ સિવા સૌથી વધુ પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડનો રેકોર્ડ પણ આર અશ્વિનના નામે છે. તેણે 11 વખત કર્યું છે. આ મામલે અશ્વિન મુથૈયા મુરલીધરનની બરાબરી પર છે.
બોલિંગ સિવાય તે શાનદાર બેટિંગ માટે પણ જાણીતો છે. તેણે ટેસ્ટ ક્રિકેટમાં 106 મેચમાં 3503 રન બનાવ્યા છે. આ દરમિયાન તે 6 સદી ફટકારી છે. તેના બેટમાંથી 14 અર્ધસદી પણ આવી છે. અશ્વિને ODI ક્રિકેટમાં 156 અને T20માં 72 વિકેટ લીધી હતી. તેની અચાનક નિવૃત્તિ ચાહકો માટે આશ્ચર્યજનક નિર્ણય છે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
