For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રવિચંદ્રન અશ્વિને IPLમાંથી બ્રેક લીધી, ટ્વીટ કરી કારણ જણાવ્યું

રવિચંદ્રન અશ્વિને IPLમાંથી બ્રેક લીધી, ટ્વીટ કરી કારણ જણાવ્યું

|
Google Oneindia Gujarati News

ભારત હાલ કોરોના મહામારી સામે લડી રહ્યું છે અને હાલ દરરોજ વિશાળ સંખ્યામાં લોકોનાં મોત થઈ રહ્યાં છે. આ દરમ્યાન દિલ્હી કેપિટલ્સના બોલર રવિચંદ્રન અશ્વિનના પરિવારમાં પણ કોરોનાવાયરસ ઘૂસી ગયો છે. પરિવારના સભ્યોમાં કોરોના સંક્રમણ પહોંચવાના કારણે અશ્વિને આઈપીએલથી અલગ થવાનો ફેસલો લીધો છે. અશ્વિને ટ્વીટ કરી આ વાતની જાણકારી આપતા કહ્યુમં કે, આ વર્ષે આઈપીએલથી બ્રેક લઈ રહ્યો છું, મારા પરિવાર અને સંબંધીઓ કોરોના સામે લડી રહ્યા છે, આ સંકટના સમયે હું મારા પરિવારની મદદ કરવા માંગું છું. જો સ્થિતિ ઠીક થઈ તો જલદી જ ક્રિકેટને મેદાનમાં પરત ફરીશ તેવી ઉમ્મીદ કરું છું.

દિલ્હીની ટીમે આપી જાણકારી

દિલ્હીની ટીમે આપી જાણકારી

સનરાઈઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ મેચમાં દિલ્હી કેપિટલ્સે સુપર ઓરમાં આ મેચ જીતી લીધી. મેચ બાદ રાત્રે આર અશ્વિને ટ્વીટ કરી જાણકારી આપી કે તે હવે આઈપીએલની બાકી મેચનો ભાગ નહિ રહે અને કાલથી તે ટીમથી અલગ થઈ જશે. અશ્વિને કહ્યું કે ઉમ્મીદ કરું છું કે જો બધું જ સારું રહ્યું તો તે ફરીથી વાપસી કરશે. આભાર દિલ્હી કેપિટલ્સ. રવિચંદ્રન અશ્વિનના ટ્વીટ બાદ દિલ્હી કેપિટલ્સ તરફથી ટ્વીટ કરી કહેવામાં આવ્યું કે રવિચંદ્રન અશ્વિને આઈપીએલ 2021માંથી બ્રેક લેવાનો ફેસલો લીધો છે, જેથી તેઓ કોરોના સામેની લડાઈમાં પોતાના પરિવારની મદદ કરી શકે, અમે દિલ્હી કેપિટલ્સ તરફથી તેમને પૂરું સમર્થન આપશું.

ઈરફાન- પ્રજ્ઞાને ટ્વીટ કર્યું

ઈરફાન- પ્રજ્ઞાને ટ્વીટ કર્યું

અશ્વિનના આ ટ્વીટ બાદ પૂર્વ ક્રિકેટર ઈરફાન પઠાણ અને પ્રજ્ઞાન ઓઝાએ ટ્વીટ કરી અશ્વિનને શુભકામનાઓ આપી છે. પઠાણે ટ્વીટ કરી લખ્યું, કે બધું જ ઠીક થઈ જશે એશ. ઉમ્મીદ છે કે તમારા પરિવાર અને આખા દેશના હાલાત જલદી જ ઠીક થશે. જ્યારે પ્રજ્ઞાન ઓઝાએ લખ્યું કે, મજબૂત બન્યા રહો એશ, તમારા પરિવારના બધા જ લોકો સ્વસ્થ થઈ જાય તેવી કામના છે.

અન્ય ખેલાડીઓ પણ ઘરે જઈ શકે

અન્ય ખેલાડીઓ પણ ઘરે જઈ શકે

રિપોર્ટ મુજબ રવિવારે અન્ય બે ઓસ્ટ્રેલિયાઈ ક્રિકેટર્સે પોતાની ટીમને આ વાતની જાણકારી આપી છે કે તેઓ પોતાના ઘરે જવા માંગે છે. જણાવી દઈએ કે જેવી રીતે ઓસ્ટ્રેલિયામાં ક્વોરેન્ટાઈનના નિયમ સખ્ત થઈ રહ્યા છે તેનાથી માલૂમ પડી રહ્યું છે કે ખેલાડીઓના પરિજનોએ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. લિવિંગ્સ્ટોન પહેલેથી જ ઈંગ્લેન્ડ ચાલ્યા ગયા છે. બ્રિટેનમાં ભારતીય નાગરિકોના આવવા પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. સ્થાનિક લોકોને જ સ્વદેશ આવવાની મંજૂરી છે પરંતુ તેમણે બ્રિટેનમાં આવ્યા બાદ ખુદના ખર્ચે હોટલમાં ક્વોરેન્ટાઈન રહેવું પડશે.

CSK Vs RCB: આરસીબીનો વિજય રથ અટક્યો, ચેન્નાઇની જીતCSK Vs RCB: આરસીબીનો વિજય રથ અટક્યો, ચેન્નાઇની જીત

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Ravichandran Ashwin took a break from the IPL, went home to support family
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X