Ravindra Jadeja ODI Retirement : રવિન્દ્ર જાડેજા ફાઈનલ બાદ નિવૃત્તિની જાહેરાત કરવા જઈ રહ્યો છે?
Ravindra Jadeja ODI Retirement : ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઈનલ મેચમાં ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના નિવૃત્તિના સંકેત મળ્યા છે.
જાડેજાએ ફાઈનલ મેચમાં 10 ઓવરની પોતાની બોલિંગ સ્પેલ પૂરી કરી ત્યારે ભારતીય કપ્તાન વિરાટ કોહલીએ તેમને ગળે લગાવ્યો. આ ક્ષણ પછી ફેન્સ અને ક્રિકેટ વિશ્લેષકોમાં ચર્ચાઓ જોર પકડવા લાગી છે કે જાડેજા ફાઇનલ મેચ બાદ નિવૃત્તિની જાહેરાત કરી શકે છે.

રવિન્દ્ર જાડેજાએ અગાઉ T20 ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી ચુક્યો છે. ODI ફોર્મેટમાં પણ હવે તેની કારકિર્દી અંતિમ તબક્કે પહોંચી છે અને એવી શક્યતા છે કે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઈનલ જાડેજાની છેલ્લી આંતરરાષ્ટ્રીય ODI મેચ બની શકે.
ન્યુઝીલેન્ડ સામેની ફાઈનલ મેચમાં જાડેજાએ 10 ઓવરમાં માત્ર 30 રન આપ્યા અને એક મહત્વની વિકેટ લીધી. બેટિંગમાં લાથમે 14 રન બનાવ્યા અને જાડેજાના હાથે આઉટ થયો.
ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં અત્યાર સુધીના પ્રદર્શનની વાત કરીએ તો જાડેજાએ 4 મેચમાં માત્ર 4 વિકેટ ઝડપી હતી, જ્યારે ફાઈનલ પહેલા બે બેટિંગ ઈનિંગ્સમાં 18 રન જ બનાવી શક્યો છે.
રવિન્દ્ર જાડેજાએ ફેબ્રુઆરી 2009માં શ્રીલંકા સામે પોતાનું વનડે ડેબ્યૂ કર્યુ હતું. છેલ્લા 16 વર્ષો જાડેજા લાંબા સમય સુધી ICC રેન્કિંગમાં વિશ્વના ટોચના ઓલરાઉન્ડર ખેલાડીઓમાં સ્થાન ધરાવતો રહ્યો છે.
Virat Kohli hugged Ravindra Jadeja after Jadeja bowled his spell. ❤️ pic.twitter.com/gznlREq52U
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 9, 2025
ODI ફોર્મેટમાં 203 મેચ રમ્યા બાદ જાડેજાએ કુલ 2,797 રન બનાવ્યા છે, જેમાં 13 અડધી સદીનો સમાવેશ થાય છે. જો કે, ODI કારકિર્દી દરમિયાન તે ક્યારેય સદી ફટકારી શક્યો નથી. બોલિંગમાં તેણે 50 ઓવરના ફોર્મેટમાં 230 વિકેટ ઝડપી છે.
હવે જોવાનું એ રહ્યું કે રવિન્દ્ર જાડેજા પોતાના નિવૃત્તિ અંગે સત્તાવાર રીતે ક્યારે જાહેરાત કરે છે. જો તે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઈનલ બાદ નિવૃત્તિ લે છે તો ભારતીય ક્રિકેટને એક અનન્ય ઓલરાઉન્ડર ગુમાવવો પડશે. જાડેજાના ભવિષ્ય વિશે સ્પષ્ટતા માટે પ્રશંસકો અને ક્રિકેટ પ્રેમીઓ સત્તાવાર જાહેરાતની રાહ જોઈ રહ્યા છે.












Click it and Unblock the Notifications
