રોહિત શર્મા બાદ ભારતીય ટીમના કેપ્ટન કોણ? આ ત્રણ દમદાર ખેલાડી રેસમાં

રોહિત શર્મા હવે ટેસ્ટ અને T20 ફોર્મેટને અલવિદા કહી ચૂક્યો છે પરંતુ તેણે એકદિવસીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની કોઈ ઘોષણા કરી નથી.

આ વર્ષે તેની કેપ્ટન્સીમાં ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી જીત હતી અને ત્યારબાદ તેમના સંન્યાસની અટકળો ઊઠી હતી, જે હવે થોડા સમય માટે ટળી ગઈ છે.

Rohit Sharma

સૂત્રો અનુસાર, માનવામાં આવી રહ્યું છે કે રોહિત શર્મા 2027ના વર્લ્ડ કપ સુધી રમી શકે છે, પરંતુ શક્ય છે કે તે કેપ્ટનશીપ છોડી શકે. એવામાં સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થયો છે કે તેના બાદ કોણ બનશે ટીમ ઈન્ડિયાનો નવો ODI કેપ્ટન?

શ્રેયસ અય્યર
શ્રેયસ અય્યર પાસે IPLમાં મજબૂત કેપ્ટનશીપનો અનુભવ છે. તેણે KKRને જીત અપાવી છે અને અગાઉ પંજાબ કિંગ્સને પણ અંતિમ મુકાબલા સુધી પહોંચાડ્યો હતો. મિડલ ઓર્ડરમાં તે ભારત માટે મહત્વપૂર્ણ ખેલાડી છે. રોહિત બાદ તે ODI કેપ્ટન તરીકે પાત્ર દાવેદાર બની શકે છે.

શુભમન ગિલ
શુભમન ગિલનું નામ હાલના સમયમાં ઝડપી ઉભરતા કેપ્ટન તરીકે જોવામાં આવી રહ્યું છે. ટેસ્ટ મેમાં તેને ભારતને શાનદાર જીત અપાવી છે. IPLમાં પણ નેતૃત્વ કર્યું છે. યુવાવર્ગમાં લોકોને ખાસ પસંદ છે.

ઋષભ પંત
ઋષભ પંત એક આતશી બેટ્સમેન હોવા ઉપરાંત મજબૂત લીડરશીપ સ્કિલ ધરાવે છે. તેણે દિલ્હી કેપિટલ્સ અને લખનઉ સુપરજાયન્ટ્સ બંને માટે IPLમાં કેપ્ટનશીપ કરી છે. જો તે સફળતાપૂર્વક ફરીથી પુનરાગમન કરે છે તો ODI કેપ્ટનશીપ માટે એક મજબૂત વિકલ્પ બની શકે છે.
હાલ રોહિત શર્મા ODI માટે તૈયાર છે પણ આવતા વર્ષોમાં ટીમ ઈન્ડિયાને નવું નેતૃત્વ આપવાનું નક્કી છે. અય્યર, ગિલ અને પંત આ ત્રણે યુવાન ખેલાડીઓમાં ભારતને આગળ લઈ જવાની તાકાત ધરાવે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X