પાકિસ્તાનને પણ ભારત જોડે રમવામાં કોઇ જ રસ નથી: શાહિદ અફ્રિદી
ટી20 ટીમના કપ્તાન અને પાકિસ્તાનના જાણીતા ક્રિકેટર એવા શાહિદ આફ્રિદી ફરી એક વાર વિવાદિત બયાન આપીને વિવાદનો મધપૂંડો છંછેડ્યો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે થનારી ક્રિકેટ મેચના મામલે આફ્રિદીએ આ વિવાદીત નિવેદન આપ્યું છે તેણે કહ્યું છે કે પાકિસ્તાનને પણ ભારત સાથે ક્રિકેટ મેચ રમવામાં કોઇ રસ નથી. અમે પણ ભારત સાથે મેચ રમવા માટે કંઇ એટલા તત્પર નથી.
એટલું જ નહીં શાહિદે તો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને પણ સલાહ આપી દીધી કે વારંવાર મેચના નામે તેણે ભારતીય ક્રિકેટબોર્ડના પગે ના પડવું. અને તેમને આ મામલે વિનંતીઓ અને ચર્ચાઓ ના કરવી. ત્યારે શાહિદ આફ્રિદીનું સમગ્ર નિવેદનના કેટલાક મહત્વ પૂર્ણ પોઇન્ટ નીચે આ ફોટોસ્લાઇડરમાં આ મુજબ છે...

શાહિદે આપી પાક. બોર્ડને સલાહ
શાહિદ આફ્રિદીએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને આપી સલાહ. તેણે કહ્યું કે ડિસેમ્બરમાં દુબઇમાં થનાર દ્વિપક્ષીય શ્રૃંખલાને રમવા માટે તેણે ભારતીય ક્રિકેટ બોર્ડની સામે વારવાર વિનંતીઓ ના કરવી જોઇએ.

બીજા દેશો પણ છે
એટલું નહીં શાહિદે તો ત્યાં સુધી કહી દીધું કે ભારત સિવાય બીજા દેશો પણ છે. જેના વિષે પણ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે વિચારવું જોઇએ.

ભારત પર
આફ્રિદીએ કહ્યું કે જો ભારતને ક્રિકેટ મેચ રમવાની ઇચ્છા ના હોય તો પાક. બોર્ડે અન્ય ટીમોને આમંત્રિત કરવી જોઇએ.

ભારત કેમ આપો છો આટલું માન
તેણે કહ્યું તે તેના મત મુજબ ભારતને રમત માટે આટલું માન આપવાની, આટલી વાર પૂછવાની તેવી કોઇ જરૂર નથી.

અમને કોઇ રસ નથી
તેણે કહ્યું કે પાકિસ્તાનની ટીમને પણ ભારત જોડે રમવાની તેવી કોઇ તાલાવેલી નથી.

શું છે મામલો
નોંધનીય છે કે પીસીબી છેલ્લા કેટલાય વખતથી ભારત-પાક વચ્ચે એક ક્રિકેટ સીરીઝ રમાય તે માટે પ્રયાસ કરી રહી છે. વળી વર્ષ 2007 અને 2012-13ની સિમિત ઓવરોની એક સીરીઝને છોડીને ભારત પાકિસ્તાન વચ્ચે કોઇ પણ મેચ નજીકના ભવિષ્યમાં નથી રમાઇ.
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ










Click it and Unblock the Notifications
