Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Shikhar Dhawan: ક્રિકેટથી સન્યાસ બાદ નવી ઈનિંગની તૈયારીમાં શિખર ધવન! જાણો હવે જોવા મળશે ગબ્બર?

Shikhar Dhawan: શિખર ધવને આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક બંને ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરીને ચાહકોને નિરાશ કર્યા છે. ડાબોડી બેટ્સમેને સોશિયલ મીડિયા પર એક વીડિયો સંદેશ દ્વારા ચાહકો અને સંગઠનોના સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો હતો. ધવને છેલ્લે 2022માં બાંગ્લાદેશ સામેની વનડે શ્રેણીમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું, પરંતુ હવે જ્યારે તેણે ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે, ત્યારે તેનુ આગળનુ પગલું શું હશે?

વાસ્તવમાં, હિન્દુસ્તાન ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યુમાં ધવને સંન્યાસ લેવાના નિર્ણય અંગે ચર્ચા કરી હતી. "મુશ્કેલ નથી, પરંતુ તે ભાવનાત્મક છે, હા - પરંતુ તે અર્થમાં નથી કે હું તેના વિશે દુઃખી છું. હું કૃતજ્ઞતા અને પ્રેમની લાગણી અનુભવું છું. મેં મારું અડધું જીવન ક્રિકેટને આપી દીધું છે અને મારે નિવૃત્તિ લેવાનો અથવા તો તેને આરામ આપવાનો સમય આવી ગયો છે.

Shikhar Dhawan update

ઈન્ટરવ્યુમાં જ્યારે ધવનને પૂછવામાં આવ્યું કે તે પોતાની નવી ઈનિંગ કઈ દિશામાં શરૂ કરશે કારણ કે સામાન્ય રીતે ક્રિકેટરો નિવૃત્તિ બાદ કોમેન્ટ્રી તરફ વળે છે. આ સવાલના જવાબમાં તેણે કહ્યું, 'મને લાગે છે કે જ્યારે હું પહેલેથી જ 20 રૂપિયા કમાઈ રહ્યો છું, તો પછી હું એવું શા માટે કરું કે જેનાથી મને 15 રૂપિયા મળે.' તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, જો કે, કોમેન્ટ્રીનો વિકલ્પ હંમેશા રહેશે. પરંતુ હું કંઈક નવું અને મોટું કરવા ઈચ્છું છું. હું હવે ઊંચો કૂદકો મારવા માંગુ છું કારણ કે મને હવે પડવાનો ડર નથી.

જ્યારે ધવનને પૂછવામાં આવ્યું કે જો તેની બાયોપિક બને તો શું તે તેમાં અભિનય કરવાનું પસંદ કરશે? અથવા તમે કોઈ અભિનેતાને જોવા માંગો છો. આના પર તેણે કહ્યું કે, જો હું ફિલ્મમાં કંઈક ઉમેરી શકું તો હું ચોક્કસપણે અભિનય કરવાનું પસંદ કરીશ, અન્ય કલાકારોની વાત કરીએ તો હું અક્ષય કુમાર અથવા રણવીર સિંહને જોવા માંગુ છું.

સોનેટ ક્લબના સભ્ય અને પશ્ચિમ દિલ્હીના રહેવાસી ધવને ભારત માટે 34 ટેસ્ટ, 167 વનડે અને 68 ટી20 મેચ રમી છે. જોકે, તાજેતરમાં ખરાબ ફોર્મ અને યશસ્વી જયસ્વાલ અને શુભમન ગિલ જેવા યુવા ખેલાડીઓના આગમનને કારણે તેને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો. ધવનનું સૌથી મહત્વપૂર્ણ યોગદાન 50-ઓવરના ફોર્મેટમાં આવ્યું, જ્યાં તેણે 44.11ની સરેરાશથી 6793 રન બનાવ્યા, જેમાં 17 સદી અને 39 અડધી સદી સામેલ છે. ટેસ્ટ ક્રિકેટમાં તેણે 40.61ની એવરેજ અને સાત સદી સાથે 2315 રન બનાવ્યા હતા.

રમતથી દૂર હોવા છતાં, ધવન તેના ભાવિ પ્રયાસો વિશે આશાવાદી છે અને તેના ચાહકો તરફથી તેને જે પ્રેમ મળી રહ્યો છે તેનો આનંદ માણી રહ્યો છે. ધવનની નિવૃત્તિ ભારતીય ક્રિકેટ માટે એક યુગનો અંત દર્શાવે છે કારણ કે તે જીવનના નવા તબક્કામાં પ્રવેશ કરે છે અને ઘણા લોકો માટે વારસો છોડીને જાય છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X