શ્રેયસ અય્યરને બન્યો કેપ્ટન, ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત
Shreyas Iyer: જ્યારે એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી ત્યારે શ્રેયસ અય્યરનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો. આ પછી BCCIની ઘણી ટીકા થઈ હતી. આ દરમિયાન, શ્રેયસ અય્યરને ભારતીય ટીમમાં મોટી જવાબદારી સોંપવામાં આવી છે, જે તેમના માટે સારો સંકેત છે.

સિનિયર મેન્સ સિલેક્શન કમિટીએ ઓસ્ટ્રેલિયા A સામે બે મલ્ટી-ડે મેચ માટે ઇન્ડિયા A ટીમની પસંદગી કરી છે. ખાસ વાત એ છે કે શ્રેયસ અય્યરને આ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ધ્રુવ જુરેલને પણ મોટી જવાબદારી સોંપવામાં આવી છે અને તેમને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યા છે.
BCCIએ પોતાની વેબસાઇટ પર ટીમની જાહેરાત કરતી વખતે એ પણ માહિતી આપી હતી કે કેએલ રાહુલ અને મોહમ્મદ સિરાજને બીજી મેચ માટે ટીમમાં સામેલ કરવામાં આવશે, બંને પહેલી મેચમાં હાજર રહેશે નહીં. ઓસ્ટ્રેલિયાની ટીમ બંને મેચ માટે ભારતનો પ્રવાસ કરશે.
સિરીઝ 16 સપ્ટેમ્બર 2025થી શરૂ થશે, જ્યારે બીજી મલ્ટી-ડે મેચ 23 સપ્ટેમ્બર 2025થી શરૂ થશે. બંને મેચ લખનૌના એકાના સ્ટેડિયમમાં રમાશે.
મલ્ટી-ડે મેચ પછી, ત્રણ વન-ડે મેચ રમાશે, જે કાનપુરમાં અનુક્રમે 30 સપ્ટેમ્બર 2025, 03 ઓક્ટોબર 2025 અને 05 ઓક્ટોબર 2025ના રોજ યોજાશે. આનો અર્થ એ થયો કે સિરીઝની બધી મેચો ઉત્તર પ્રદેશના બે સ્ટેડિયમમાં રમાશે.
ભારત A ટીમમાં છે આ ખેલાડીઓ
શ્રેયસ અય્યર (કેપ્ટન), અભિમન્યુ ઈશ્વરન, એન જગદીશન (વિકેટકીપર), સાઈ સુદર્શન, ધ્રુવ જુરેલ (વાઈસ કેપ્ટન અને વિકેટકીપર), દેવદત્ત પડિક્કલ, હર્ષ દુબે, આયુષ બદોની, નિતીશ કુમાર રેડ્ડી, તનુષ કોટિયન, પ્રસિધ્ધ કૃષ્ણા, ગુરનૂર બ્રાર, ખલીલ અહેમદ, માનવ સુથાર, યશ ઠાકુર












Click it and Unblock the Notifications
