કુંદ્રા - મય્યપન પર આજીવન, CSK - RR પર 2 વર્ષનો પ્રતિબંધ
નવી દિલ્હી, 14 જુલાઇ: સુપ્રીમ કોર્ટ દ્વારા રચિત ન્યાયમૂર્તિ આરએમ લોઢા સમિતિએ મંગળવારે ગુરુનાથ મયપ્પન અને રાજ કુંદ્રા તથા તેમની આઇપીએલ ફ્રેંચાઇજી ક્લબ વિરુદ્ધ સટ્ટેબાજી અને સ્પોટ ફિક્સિંગ માટે ચુકાદો સંભળાવી દીધો. જસ્ટિસ લોઢાએ ગુરુનાથ મયપ્પન પર બેન લગાવી દીધો છે. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો મયપ્પનને ક્રિકેટના કોઇપણ ફોર્મેટથી લાઇફ ટાઇમ માટે દૂર રહેવું પડશે. મયપ્પન પર એકધારામાં પાંચ વર્ષ અને બે ધારાઓમાં જીવનભર માટે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે ચેન્નઇ સુપર કિંગ્સના ટીમ અધિકારી ગુરુનાથ મયપ્પન અને રાજસ્થાન રોયલ્સના સહમાલિક રાજ કુંદ્રા સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ના છઠ્ઠા સંસ્કરણમાં સટ્ટેબાજીના દોષી ઠેરવામાં આવ્યા હતા.












Click it and Unblock the Notifications
