ઑસ્ટ્રેલિયા સામે ટી-20 સીરિઝ માટે સૂર્યકુમાર યાદવ બન્યા કેપ્ટન
Suryakumar Captain of Indian T20 Team: ઑસ્ટ્રેલિયા વિરૂદ્ધ ભારતીય ટીમની T20 શ્રેણીની જાહેરાત કરવામાં આવી છે. સૂર્યકુમાર યાદવને ભારતીય ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ અંગે પહેલાથી જ અટકળો ચાલી રહી હતી. હાર્દિક પંડ્યા ઘાયલ છે, આવી સ્થિતિમાં સૂર્યાને કેપ્ટન બનાવવાના અહેવાલો આવ્યા હતા.
ઑસ્ટ્રેલિયા સામેની T20 સીરિઝ દરમિયાન પાંચ મેચ રમાશે. ભારતીય ટીમ પ્રથમ મેચમાં વિશાખાપટ્ટનમમાં રમશે. પાંચ મેચોની આ સીરિઝની પ્રથમ મેચ 23 નવેમ્બરે રમાશે. ફાઈનલ મેચ 3 ડિસેમ્બરે રમાશે.

શ્રેયસ અય્યર તાજેતરમાં જ વર્લ્ડ કપ દરમિયાન ભારતીય ટીમનો ભાગ હતો. આવી સ્થિતિમાં તે ત્રણ ટી-20 રમશે નહીં. રાયપુર અને બેંગલુરુમાં યોજાનારી છેલ્લી બે મેચમાં ટીમ ઈન્ડિયાનો ભાગ હશે. મહત્વની વાત એ છે કે તે ટીમ ઈન્ડિયા સાથે વાઇસ કેપ્ટન તરીકે જોડાશે.
ભારતીય ટીમમાં તમામ યુવા ચહેરાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રસિદ્ધ કૃષ્ણા, અવેશ ખાન, મુકેશ કુમાર અને અર્શદીપ સિંહને બોલિંગની જવાબદારી સોંપવામાં આવી છે. રવિ બિશ્નોઈ લેગ સ્પિનર તરીકે રમશે. આ ટીમમાં અક્ષર પટેલ પણ સામેલ છે. જિતેશ શર્માને કીપર તરીકે લેવામાં આવ્યો છે. ભારતીય ટીમના તમામ સિનિયર ખેલાડીઓ વર્લ્ડ કપ બાદ આરામ કરશે. પહેલાથી જ માનવામાં આવી રહ્યું હતું કે ટીમ ઈન્ડિયા યુવા ચહેરાઓ સાથે મેદાનમાં ઉતરશે.
ભારતીય T20 ટીમ
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), રૂતુરાજ ગાયકવાડ (વાઈસ-કેપ્ટન), ઈશાન કિશન, યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, રિંકુ સિંહ, જીતેશ શર્મા (વિકેટકીપર), વૉશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, શિવમ દુબે, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણા, અવેશ ખાન, મુકેશ કુમાર.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
