T20 World Cup 2024: વિશ્વ કપ જીત્યા બાદ બાર્બાડોસમાં ફસાઇ ભારતીય ક્રિકેટ ટીમ, જાણો કારણ
T20 World Cup 2024: ભારતે શનિવારે દક્ષિણ આફ્રિકા સામે સાત રનથી જીત મેળવીને T20 વર્લ્ડ કપ 2024 જીત્યો હતો. હવે ભારતીય ચાહકો રોહિત શર્માની સેનાની રાહ જોઈ રહ્યા છે.
અત્યાર સુધી ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને લઈને કોઈ અપડેટ નથી. દરમિયાન એવા સમાચાર છે કે, બાર્બાડોસમાં ચક્રવાતને કારણે ભારતીય ટીમની વતન વાપસીમાં હજુ થોડા દિવસો લાગી શકે છે.
રોહિતની કપ્તાનીમાં ભારતે જીત મેળવી - રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતે 17 વર્ષ બાદ T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. આ પહેલા 2007માં તત્કાલિન કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાએ પહેલો ખિતાબ જીત્યો હતો.
આ ટુર્નામેન્ટમાં ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ જ કારણ છે કે, ચાહકો તેને મળવા માટે આતુર છે. જોકે, ચાહકોને હજુ થોડા દિવસો રાહ જોવી પડી શકે છે.

બાર્બાડોસમાં હવામાન કેવું છે? - વાસ્તવમાં બાર્બાડોસમાં છેલ્લા કેટલાક દિવસોથી હવામાન ખરાબ છે. હવામાન અહેવાલ અનુસાર, આગામી કેટલાક કલાકોમાં ત્યાં ચક્રવાતી વાવાઝોડાની સંભાવના છે. આવા સમયે, પવન 170-200 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે.
આ સ્થિતિમાં બ્રિજટાઉનનું એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું છે. આ સાથે જ ટીમ ઈન્ડિયાને હોટલમાં જ રોકાવા માટે કહેવામાં આવ્યું છે. રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, BCCI તેમના માટે ચાર્ટર પ્લેનની વ્યવસ્થા કરી શકે છે.
#WATCH | Hurricane hits Barbados, airport shut down until further order. Curfew imposed in the city from 6 pm, all stores and offices shut down.
— ANI (@ANI) July 1, 2024
Team India and media from India stuck in Barbados as all flights cancelled. pic.twitter.com/j9OvGWp0Ot












Click it and Unblock the Notifications
