Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

T20 World Cup 2024 : આયર્લેન્ડ સામે મેચમાં વિરાટ કોહલી રચી શકે છે ઇતિહાસ, બનશે નંબર વન

T20 World Cup 2024 : ICC T20 વર્લ્ડ કપ શરૂ થવામાં હવે થોડો સમય બાકી છે. આ ટૂર્નામેન્ટમાં કઈ ટીમ ચેમ્પિયન બને છે તેના પર દુનિયાની તમામ નજર મંડાયેલી છે. આ વખતે ટુર્નામેન્ટ મોટી અને ખાસ બંને છે. આ વખતે ટુર્નામેન્ટમાં કુલ 20 ટીમો ભાગ લઈ રહી છે.

આ પહેલીવાર છે, જ્યારે અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં સંયુક્ત રીતે T20 વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અમેરિકામાં વિકેટ કેવી રીતે ચાલશે, તે અંગે તમામ ટીમો અજાણ છે.

ભારતે વર્ષ 2007માં T20 વર્લ્ડ કપ જીત્યો હતો, અને ત્યારથી ટીમ T20 ચેમ્પિયનશિપ જીતી શકી નથી. આ વખતે BCCIએ T20 વર્લ્ડ કપ માટે રોહિત શર્માના નેતૃત્વમાં 15 સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરી છે, જેમાંથી સમગ્ર દેશને આશા હશે કે, તેઓ ખિતાબ જીતીને વિજયના દુષ્કાળનો અંત લાવે.

ચાહકોની નજર વિરાટ કોહલી અને રોહિત શર્મા પર પણ હશે, જેઓ કદાચ છેલ્લી વખત વર્લ્ડ કપમાં ભારત માટે રમી રહ્યા છે. વિરાટ કોહલી ICC T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે, અને જ્યારે ટીમ ઈન્ડિયા આયર્લેન્ડ સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે, ત્યારે તેની પાસે એક મોટો રેકોર્ડ પોતાના નામે કરવાની તક હશે.

T20 World Cup 2024

ICC T20 વર્લ્ડ કપમાં વિરાટ કોહલીએ અત્યાર સુધી 25 ઇનિંગ્સમાં 103 ચોગ્ગા ફટકાર્યા છે. જો પોતાની શાનદાર કવર ડ્રાઇવથી ચાહકોનું દિલ જીતનાર વિરાટ કોહલી આયર્લેન્ડ સામેની મેચમાં વધુ 9 ચોગ્ગા ફટકારે તો તે T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ ચોગ્ગા મારનાર બેટ્સમેન બની જશે.

T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ ચોગ્ગા મારવાનો વર્તમાન રેકોર્ડ શ્રીલંકાના ભૂતપૂર્વ દિગ્ગજ ખેલાડી મહેલા જયવર્દનેના નામે છે, જેણે 25 ઇનિંગ્સમાં 111 ચોગ્ગા ફટકાર્યા છે. આવી સ્થિતિમાં કોહલીને તેની સાથે મેચ કરવા માટે 8 ચોગ્ગા અને તેનાથી આગળ નીકળવા માટે 9 ચોગ્ગાની જરૂર છે.

તિલકરત્ને દિલશાને 34 ઇનિંગ્સમાં 101 ચોગ્ગા ફટકાર્યા છે, અને તે યાદીમાં ત્રીજા સ્થાને છે, જ્યારે 36 ઇનિંગ્સમાં 91 ચોગ્ગા ફટકારનાર રોહિત શર્મા આ યાદીમાં ચોથા સ્થાને છે.

ડેવિડ વોર્નર આ યાદીમાં પાંચમા સ્થાને છે અને તેણે 34 ઇનિંગ્સમાં 86 ચોગ્ગા ફટકાર્યા છે. આ વર્લ્ડ કપમાં રોહિત શર્મા અને ડેવિડ વોર્નર પણ ભાગ લઈ રહ્યા છે અને તે બંને આ લિસ્ટમાં ટોપ પર પહોંચવાનો પણ પ્રયાસ કરશે.

આ ટીમ ઈન્ડિયાનું શેડ્યૂલ છે - ભારતીય ટીમ 5 જૂનના રોજ આયર્લેન્ડ સામે T20 વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત કરશે. આ પછી, ટીમ તેની બીજી લીગ સ્ટેજની મેચ 9 જૂનના રોજ પાકિસ્તાન સામે રમશે.

જ્યારે 12 જૂનના રોજ ટીમ અમેરિકા સામે ત્રીજી મેચ રમશે, અને 15 જૂને લીગ તબક્કાની છેલ્લી મેચ કેનેડા સામે રમશે. ટીમ ઈન્ડિયા લીગ સ્ટેજમાં ટોપ પર રહી શકે છે, આવી સ્થિતિમાં ટીમ સરળતાથી ગ્રુપ-8માં પ્રવેશ કરશે.

ટી-20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમ - રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત (વિકેટકીન), સંજુ સેમસન (વિકેટકીન), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ , યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ.

રિઝર્વ : શુભમન ગિલ, રિંકુ સિંહ, ખલીલ અહેમદ, અવેશ ખાન.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X