T20 World Cup : વર્લ્ડ કપ રમનારા ખેલાડીને કેટલા રૂપિયા મળે? જાણો શું હોય છે નિયમો?
બીસીસીઆઈએ આવનારા ટી20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. આ ટીમમાં ઘણા નવા ખેલાડીઓને સ્થાન મળ્યુ છે.
આ ટીમમાં રોહિત શર્માને ટીમની કમાન સોંપવામાં આવી છે જ્યારે વાઇસ કેપ્ટનની જવાબદારી હાર્દિક પંડ્યાને આપવામાં આવી છે. પરંતુ શું તમે જાણો છો કે T20 વર્લ્ડ કપમાં રમનારા ખેલાડીઓને કેટલી ફી મળે છે?

માહિતી મુજબ હાલમાં ખેલાડીઓને ટેસ્ટ રમવા માટે 15 લાખ રૂપિયા મળે છે. જ્યારે ખેલાડીઓને વન ડે માટે 6 લાખ રૂપિયા અને T-20 મેચ માટે 3 લાખ રૂપિયા મળે છે.
ક્રિકેટ ખેલાડીઓને મળેલી રકમ તેમના ગ્રેડના આધારે નક્કી કરવામાં આવે છે. BCCI હવે તેના ખેલાડીઓને વાર્ષિક કરાર આપે છે. ભારતીય ક્રિકેટ બોર્ડ વિશ્વની સૌથી ધનિક રમત સંસ્થાઓમાંની એક છે.
ભારતીય ક્રિકેટ બોર્ડ A+, A, B અને C કરારના 4 ગ્રેડ ઓફર કરે છે. સૌથી ઓછી વાર્ષિક ફી (ગ્રેડ સી) 1 કરોડ છે. આ ઉપરાંત, A+માં 5 કરોડ, Bમાં 3 કરોડ રૂપિયા મળે છે.
મેચો સિવાય BCCI પોતાના ખેલાડીઓને અન્ય ભથ્થા પણ આપે છે. જ્યારે ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય મેચ રમવા જાય છે ત્યારે તેમને મેચ ફી ઉપરાંત ભથ્થાં પણ મળે છે. આ સિવાય મેચ દરમિયાન ખેલાડીઓને આપવામાં આવતી તમામ સુવિધાઓનો ખર્ચ BCCI પોતે ઉઠાવે છે.
જણાવી દઈએ કે, રોહિત શર્માને ટીમની કમાન સોંપવામાં આવી છે, જ્યારે વાઇસ કેપ્ટનની જવાબદારી હાર્દિક પંડ્યાને આપવામાં આવી છે. આ સિવાય ટીમમાં બેટ્સમેન વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવ હાજર રહેશે. શિવમ દુબે, યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન અને રિષભ પંતને સ્થાન મળ્યું છે.
આ સિવાય ઓલરાઉન્ડર અક્ષર પટેલ અને રવિન્દ્ર જાડેજા, સ્પિનર્સ યુઝવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવ અને ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજને સ્થાન મળ્યું છે.












Click it and Unblock the Notifications
