Virat Kohli : ભારત છોડી બ્રિટનનો નાગરીક બનવા જઈ રહ્યો છે વિરાટ કોહલી? જાણો કેમ શરૂ થઈ ચર્ચા?
Virat Kohli : ભારતીય સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી ભારત છોડીને બ્રિટનની નાગરિકતા લેવા જઈ રહ્યો હોવાની ચર્ચા લાંબા સમયથી ચાલી રહી છે.
સોશિયલ મીડિયા પર સતત એવા અહેવાલો વહેતા થઈ રહ્યા છે કે વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા લંડન શિફ્ટ થઈ શકે છે. T20 વર્લ્ડ કપ જીત્યા બાદ કોહલી મુંબઈથી સીધો લંડન ગયો હતો. જે બાદ આ ચર્ચાઓએ જોર પકડ્યું હતું.

વિરાટ કોહલીની પત્ની અનુષ્કા અને બાળકો અકાય અને વામિકા ત્યાં પહેલાથી જ હાજર હતા. આવી સ્થિતિમાં અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે વિરાટ કોહલી તેના પરિવાર સાથે લંડન શિફ્ટ થવાનું પ્લાનિંગ કરી શકે છે.
જો વિરાટ કોહલી બ્રિટિશ નાગરિક બને છે તો IPL 2025માં તેની ભાગીદારી પણ બદલાઈ શકે છે. IPL ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા સંચાલિત થાય છે, જેમાં ખેલાડીઓની પાત્રતા માટે ચોક્કસ નિયમો છે. ટીમમાં નાગરિકતાના બદલે તેમના પ્રતિનિધિત્વના દેશના આધારે મર્યાદિત સંખ્યામાં વિદેશી ખેલાડીઓ હોઈ શકે છે.
કોહલી જન્મ અને પ્રતિનિધિત્વ દ્વારા ભારતીય હોવાને કારણે તેને સામાન્ય રીતે વિદેશી ખેલાડી ગણવામાં આવતો નથી. જો કોહલી યુકેની નાગરિકતા પ્રાપ્ત કરવા છતાં તેનું ભારતીય પ્રતિનિધિત્વ જાળવી રાખે છે તો તેની IPL પાત્રતા પર કોઈ અસર થશે નહીં.
ક્રિકેટના ધોરણો મુજબ તે હજુ પણ ભારતીય ખેલાડી તરીકે ગણવામાં આવશે અને કોઈપણ ફેરફાર વિના IPLમાં ભાગ લેવાનું ચાલુ રાખશે.
જો કોઈ ભારતીય નાગરિક બ્રિટિશ નાગરિકતા મેળવવા માંગે તો તેણે ઓનલાઈન અરજી ફોર્મ ભરવું પડે છે. આ ફોર્મની ફી 80 પાઉન્ડ છે, જે અંદાજે 8500 ભારતીય રૂપિયા છે. આ પ્રક્રિયા દરમિયાન અરજદારોએ તમામ જરૂરી વ્યક્તિગત માહિતી અને બાયોમેટ્રિક ડેટા પ્રદાન કરવો આવશ્યક છે. આ પછી આગળ વધતા પહેલા એક પરીક્ષા પાસ કરવી પડે છે.
-
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ -
Dhurandhar 2 BO Collection Day 3: ત્રીજા દિવસે રણવીર સિંહની 'ધુરંધર 2'એ મચાવી ધમાલ, કમાણીએ તોડ્યા રેકોર્ડ -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ








Click it and Unblock the Notifications
