WTC ફાઇનલ પહેલા વિરાટ કોહલીની ઇજાએ વધારી ચિંતા, RCBના કોચે આપી મોટી અપડેટ
આઈપીએલની 16મી સિઝનથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની સફરનો અંત આવી ગયો છે, પરંતુ ટૂર્નામેન્ટમાં સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીનું પ્રદર્શન ટીમ ઈન્ડિયાને મજબૂત બનાવશે. આ દરમિયાન કોહલી ગુજરાત ટાઇટન્સ સામેની મેચ દરમિયાન ઇજાગ્રસ્ત થયો હોવાના સમાચાર સામે આવ્યા છે.
હકીકતમાં, 21 મેના રોજ એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સની ઇનિંગ્સની 15મી ઓવરમાં વિજય શંકરના બોલ પર કેચ લેતી વખતે વિરાટ કોહલીને ઘૂંટણમાં ઇજા થઇ હતી. થોડા સમય પછી, એક ફિઝિયો આવ્યો અને કોહલી પિચની બહાર ગયો અને તે પછી તે પીચ પર પાછો ફર્યો નહીં. જીટીની ઇનિંગ્સની 15મી ઓવરથી તે ડગઆઉટમાં બેઠો જોવા મળ્યો હતો.

બીજી તરફ, ભારત બે અઠવાડિયાથી ઓછા સમયમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. આવી સ્થિતિમાં વિરાટ કોહલીની ઈજાએ ટીમ ઈન્ડિયાની ચિંતા વધારી દીધી છે. જોકે, મેચ પછીની પ્રેસ કોન્ફરન્સમાં RCBના મુખ્ય કોચ સંજય બાંગરે પુષ્ટિ કરી હતી કે ઈજા ગંભીર નથી.
તેણે કહ્યું, 'હા, તેના ઘૂંટણમાં થોડી ઈજા થઈ હતી, પરંતુ મને નથી લાગતું કે તેમાં કંઈ ગંભીર છે. 4 દિવસમાં તેણે સતત બે બેક-ટુ-બેક સદી ફટકારી છે. તે એવી વ્યક્તિ છે જે માત્ર બેટિંગમાં જ નહીં પરંતુ ફિલ્ડિંગમાં પણ યોગદાન આપવા માંગે છે.
આ દરમિયાન તે ખૂબ દોડ્યો. થોડા દિવસો પહેલા તે 40 ઓવર માટે મેદાન પર હતો અને આજે 35 ઓવર. તેણે પોતાનું સર્વશ્રેષ્ઠ કર્યું. તેથી તે હેરાન કરનારૂ છે, પરંતુ મને નથી લાગતું કે તે કંઈપણ ગંભીર છે.
કોહલી અને શુભમન ગિલ બંનેએ IPLની છેલ્લી મેચમાં પોતપોતાની ટીમ માટે સદી ફટકારી હતી. GT, જેણે પ્લેઓફમાં પહેલેથી જ જગ્યા બનાવી લીધી હતી, તેણે RCBને કોઈ દયા ન બતાવી અને જોરદાર બેટિંગ કરી. જોકે, RCBની હાર બાદ વિરાટ કોહલી ઘણો નિરાશ થયો હતો, કારણ કે તેની મહેનત બાદ પણ ટીમ પ્લેઓફમાં સ્થાન મેળવી શકી ન હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, વિરાટ કોહલી એ સાત ભારતીય ખેલાડીઓમાં સામેલ છે જે 7 જૂનથી ઓસ્ટ્રેલિયા સામે શરૂ થઈ રહેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ માટે મંગળવારે એટલે કે આવતીકાલે ઈંગ્લેન્ડ જવા રવાના થશે.
-
Women's Day 2026: 8 માર્ચે જ કેમ ઉજવાય છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ? જાણો ઈતિહાસ, મહત્વ અને આ વર્ષની થીમ -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે?









Click it and Unblock the Notifications
