પીએમ મોદીની અપીલ છતાં વિરાટ કોહલી વોટ નહીં કરે
ભારતમાં લોકસભા ચૂંટણી 2019 મતદાન શરુ થતા પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઘ્વારા ટીમ ઇન્ડિયાના ત્રણ ખેલાડીઓ માટે મત આપવા માટે ખાસ અપીલ કરી હતી.
ભારતમાં લોકસભા ચૂંટણી 2019 મતદાન શરુ થતા પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઘ્વારા ટીમ ઇન્ડિયાના ત્રણ ખેલાડીઓ માટે મત આપવા માટે ખાસ અપીલ કરી હતી. ટીમ ઇન્ડિયાનો આ ત્રણેય - વિરાટ કોહલી, મહેન્દ્ર સિંહ ધોની અને રોહિત શર્મા છે. પરંતુ મોટા સમાચાર એ છે કે ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી લોકસભા ચૂંટણીઓમાં આ વખતે મતદાન કરી શકશે નહીં.
વિરાટ કોહલી મૂળ રૂપે દિલ્હીના નિવાસી છે પરંતુ બોલિવૂડ સ્ટાર અનુષ્કા શર્મા સાથે લગ્ન કર્યા પછી તેને મુંબઈને પોતાનું ઘર બનાવ્યું છે. અનુષ્કા શર્મા મુંબઈથી જ પોતાનો વોટ આપે છે, એટલા માટે વિરાટ કોહલી પણ મુંબઈથી વોટ આપવા માટે ઇચ્છતા હતા. આ માટે, તેણે ઑનલાઇન પ્રક્રિયા હેઠળ અરજી કરી હતી, પરંતુ ત્યાં સુધી અરજી કરવાની સમયસીમા નીકળી ગઈ હતી.
મતદાર આઈડી માટેની અરજી માટેની છેલ્લી તારીખ 30 માર્ચ હતી પરંતુ વિરાટ કોહલી ત્યાં સુધીમાં આ કામ કરી ના શક્યા. એવું માનવામાં આવે છે કે વડાપ્રધાન મોદીની અંગત અપીલ પછી, કોહલીએ ચૂંટણી પંચને ઘણી વખત સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો જેથી મતદાર સૂચિમાં તેમનું નામ નોંધવામાં આવી શકે. કમિશનરે કોહલીને કહ્યું હતું કે તમે પહેલેથી જ સમય મર્યાદા ચૂકી ગયા છો.
Dear @msdhoni, @imVkohli and @ImRo45,
— Chowkidar Narendra Modi (@narendramodi) March 13, 2019
You are always setting outstanding records on the cricketing field but this time, do inspire the 130 crore people of India to set a new record of high voter turnout in the upcoming elections.
When this happens, democracy will be the winner!
આપને જણાવી દઈએ કે વિરાટ કોહલી હાલમાં આઇપીએલ 12 સીઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર માટે રમે છે. સતત 6 મૅચ ગુમાવનાર ટીમ, છેલ્લા પાંચ મેચમાંથી ચાર જીતી ગઈ છે અને તેમને છેલ્લે ઘણો જુસ્સો બતાવ્યો છે. આજે, 28 એપ્રિલે, આરસીબી અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ ફિરોઝ શાહ કોટલામાં રમાશે.
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો