પાક પત્રકારે ટીમ ઇંડિયાને કહ્યો ‘ઘરનો વાઘ’, મળ્યો તગડો જવાબ
પાકિસ્તાન પત્રકાર ઉમર કુરેશીએ ટીમ ઇંડિયા પર કટાક્ષ કરતા ટ્વીટ કર્યુ કે ભારતે ઘરમાં ઇંગ્લેંડને 4-0 થી હરાવી દીધુ- આહ! ઘરનો વાઘ, બહાર સસલુ...
આટલી બધી ટીકાઓ છતાં પાકિસ્તાન પોતાની હરકતો છોડતુ જ નથી. રાજકારણ હોય કે રમત તે ભારત પર કટાક્ષ કરાવનો કોઇ મોકો છોડતુ નથી પરંતુ દરેક વખતે તેના વળતા પાણી થયા છે.

મંગળવારે પણ આવુ જ થયુ, ભારતે ઇંગ્લેંડને ટેસ્ટ સીરિઝમાં 4-0 થી હરાવીને ખિતાબ પોતાના નામે કર્યો. આખુ ભારત પોતાના ખેલાડીઓની આ જીતથી ઝૂમી રહ્યુ હતુ. તે દરમિયાન પાકિસ્તાનના જાણીતા પત્રકાર ઉમર કુરેશીને આ વાત હજમ ના થઇ અને તેણે કટાક્ષ કરતા ટ્વીટ કર્યુ કે ભારતે ઘરમાં જ ઇંગ્લેંડને 4-0 થી હરાવી દીધુ - આહ ! ઘરનો વાઘ, બહાર સસલુ, આ જ છે ટીમ ઇંડિયા.
ત્યારબાદ તેણે એક બીજા ટ્વીટમાં લખ્યુ કે ઇંગ્લેંડની સામે 4-0 થી સીરિઝ જીતવા પર મીડિયા ઉન્માદિત છે. તે ભૂલી ગયા છે કે આ ઘરની સીરિઝ છે. કે જે Zzz જેવી છે.
હવે સ્વાભાવિક છે કે તેણે એવી વાત ટ્વીટ કરી અને તે પણ એવા દેશ વિશે જેમ-તેમ લખ્યુ જ્યાં ક્રિકેટ એક રમત નહિ પરંતુ ધર્મ છે. તો જવાબ તો તેને મળવાનો જ હતો. તે મળી ગયો. યુઝર્સે કુરેશીને એવા આકરા જવાબો આપ્યા કે જે વાંચ્યા બાદ લાગે છે કે હવે કુરેશી ભારત પર ટીપ્પણી કરતા પહેલા ઓછામાં ઓછુ સો વાર તો વિચારશે જ.
લોકોએ કુરેશીને લખ્યુ કે એક પાકિસ્તાનીને શું ખબર કે પોતાના ઘરમાં સીરિઝ જીતવુ શું હોય છે? ઉલ્લેખનીય છે કે આતંકવાદને કારણે ઘણા વર્ષોથી તેમને ત્યાં વિદેશી ટીમો પ્રવાસ કરતી નથી. વળી એક યુઝરે તો એમ પણ લખ્યુ કે એક પાકિસ્તાનીને ઘરેલૂ સીરિઝ વિશે વાત કરવી એટલે કોઇ ટકલાને કાંસકા વિશે કહેવુ.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા










Click it and Unblock the Notifications
