Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

યુવરાજસિંહ પર બનશે બાયોપિક, આ એક્ટર નિભાવી શકે છે યુવીનો રોલ

Yuvraj Singh Biopic: પૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહ પર ફિલ્મ બનશે. યુવીની બાયોપિકની જાહેરાત કરવામાં આવી છે. ફિલ્મ સમીક્ષક તરણ આદર્શે પોસ્ટ શેર કરીને આ માહિતી આપી છે. તરણ આદર્શે સોશિયલ મીડિયા X પર એક પોસ્ટ શેર કરીને આ જાણકારી આપી છે.

ફિલ્મ સમીક્ષક તરણ આદર્શે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, આ બાયોપિકનું નિર્માણ ભૂષણ કુમાર-રવિ ભાગચંદકા કરશે. જોકે, હજુ સુધી એ નક્કી નથી થયું કે, યુવીની બાયોપિકમાં કયો એક્ટર તેનું પાત્ર ભજવશે.

ઉલ્લેખનીય છે કે, યુવી ભારતના મહાન ક્રિકેટરોમાંથી એક છે. યુવીના દમ પર ભારતે 2011માં બીજી વખત ODI વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો.

હવે સવાલ એ છે કે, બાયોપિકમાં યુવીનું પાત્ર કયો અભિનેતા ભજવશે? આ અહેવાલમાં આપણે જાણીશું કે, કયો એક્ટર યુવીની ભૂમિકા નિભાવી શકે છે.

સિદ્ધાંત ચતુર્વેદી - ખુદ યુવરાજ સિંહે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, જો તેમના પર બાયોપિક બનાવવામાં આવે છે, તો સિદ્ધાંત ચતુર્વેદીએ તેની ભૂમિકા ભજવવી જોઈએ.

હવે જોવાનું એ રહે છે કે, સિદ્ધાંત ચતુર્વેદીને યુવીની ભૂમિકા ભજવવાની તક મળે છે કે કેમ? કારણ કે, સિદ્ધાંતે ક્રિકેટ આધારિત વેબ-સિરીઝ ઇનસાઇડ એજમાં ક્રિકેટરની ભૂમિકા ભજવી હતી.

સિદ્ધાંત માટે સૌથી વધુ સારી બાબત એ છે કે, તેનું આખું શરીર ખેલાડી જેવું જ છે, તેથી હવે જોવાનું એ રહેશે કે, નિર્માતા યુવીના રોલ માટે કયા અભિનેતાને પસંદ કરે છે.

Yuvraj Singh Biopic

રણબીર કપૂર - અભિનેતા રણબીર કપૂર પણ યુવરાજ સિંહની બાયોપિક માટે યોગ્ય પસંદગી હશે. રણબીર કપૂરની એક્ટિંગ વિશે જેટલું કહેવામાં આવે તેટલું ઓછું છે.

યુવીની કારકિર્દી પણ સંઘર્ષથી ભરેલી રહી છે. આવી સ્થિતિમાં, જો રણબીર યુવીની ભૂમિકા ભજવે છે, તો તે કેક પર આઈસિંગ હશે.

સુશાંત સિંહ રાજપૂતે ભજવ્યું હતું ધોનીનું પાત્ર - બાયોપિકમાં ધોનીનું પાત્ર દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે ભજવ્યું હતું. સુશાંતે પોતાની એક્ટિંગથી બધાને ચોંકાવી દીધા હતા.

ધોનીની બાયોપિકમાં સુશાંતની એક્ટિંગના ખૂબ વખાણ થયા હતા. એમએસ ધોની - ધ અનટોલ્ડ સ્ટોરી બ્લોકબસ્ટર ફિલ્મ સાબિત થઈ હતી.

યુવરાજ સિંહની કારકિર્દી - પોતાની કારકિર્દીમાં યુવરાજ સિંહે 40 ટેસ્ટ મેચ રમી છે, જેમાં તેના નામે 3 સદી અને 11 અડધી સદી હતી. આ સિવાય યુવીએ 304 વનડેમાં 8701 રન બનાવ્યા છે.

વનડેમાં યુવીના નામે 14 સદી અને 52 અડધી સદી ફટકારવાનો રેકોર્ડ છે. ટી-20 ઈન્ટરનેશનલમાં યુવીએ 58 મેચ રમીને કુલ 1177 રન બનાવ્યા છે.

કેન્સર સાથે ODI વર્લ્ડ કપ રમ્યો - યુવરાજ સિંહને 2011 વર્લ્ડ કપ દરમિયાન કેન્સર થયું હતું. કૈસર પછી પણ યુવીએ વર્લ્ડ કપ રમવાનું ચાલુ રાખ્યું અને ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યું હતું.

યુવીના આ સંઘર્ષે દેશવાસીઓને ચોંકાવી દીધા હતા. યુવરાજ સિંહને વર્લ્ડ કપ 2011માં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો ખિતાબ મળ્યો હતો.

કેન્સર સામે લડ્યા પછી પુનરાગમન - યુવરાજ સિંહના કેન્સરની સારવાર બોસ્ટન અને ઇન્ડિયાનાપોલિસમાં કરવામાં આવી હતી.

માર્ચ 2012 માં કીમોથેરાપીના ત્રીજા અને અંતિમ સાયકલ બાદ તેને રજા આપવામાં આવી હતી. કેન્સર જેવી ગંભીર બીમારી સામે લડ્યા બાદ યુવીએ ક્રિકેટના મેદાનમાં વાપસી કરીને વિશ્વ ક્રિકેટને ચોંકાવી દીધું હતું.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X