ઓલમ્પિક બ્રોન્ઝ વિજેતાએ કહ્યું,કયારેય કોઇ યુવતી સાથે આવું ના થાય

મેરીકોમએ કહ્યું કે, આ ઘટનાની ક્રુરતાએ મને સંપુર્ણ હલાવી નાંખી છે. ક્યારેય કોઇ યુવતી સાથે આવું ના થાય. હું દુઆ કરું છું કે એ યુવતી જીવીત રહે. આ એક દુઃખદ છે કે આધુનિક સમાજમાં આવી ઘટના ઘટી રહી છે. આપણો સમાજ આખરે કઇ દિશામાં જઇ રહ્યો છે. મહિલા હોવાના કારણે હું ઘણી જ દુઃખી છું અને એ યુવતીના દર્દને સમજી શકું છું. આપણે તેની કડક શબ્દોમાં નિંદા કરવી જોઇએ.
પાંચમી વખતની વિશ્વ ચેમ્પિયને કહ્યું કે, સરકાર અને પોલીસે સુનિશ્ચિત કરવું જોઇએ કે મહિલાઓ દેશમાં સુરક્ષાનો અનુભવ કરે, જરૂરી પગલાં ઉઠાવવામાં આવે, જેથી આવી ઘટનાઓ ફરી ક્યારેય ના ઘટે.
નોંધનીય છે કે, શનિવારે દિવસભર સરકાર તરફથી દિલ્હી વહિવટી તંત્રને પરેશાન કરનાર પ્રદર્શનકારી કડકડતી ઠંડીમાં આખી રાત ઇન્ડિયા ગેટ પર ખુલા આકાશ નીચે બેસી રહ્યાં હતા. આંદોલનકારીઓના ઉગ્ર પ્રદર્શનના કારણે સૌથી તાકવતર મહિલા સોનિયા ગાંધીને રાત્રે 1 વાગે ઘરની બહાર આવવું પડ્યું હતું. રવિવારે સવારથી જ પ્રદર્શનકારીઓ ન્યાયની માંગ સાથે ઇન્ડિયા ગેટ પર પ્રદર્શન કરી રહ્યાં છે. પ્રદર્શનકારીઓને રોકવા માટે પોલીસ દ્વારા પાણીના ફુવારા અને આસું ગેસના ગોળા છોડવામાં આવી રહ્યાં છે. તેમજ લાઠીચાર્જ પણ કરવામાં આવી રહ્યો છે. જેમાં અનેક પ્રદર્શનકારીઓ ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ મળી રહ્યાં છે. આ બધાની વચ્ચે બાબા રામદેવ પણ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. જે દરમિયાન પોલીસ અને રામદેવના સમર્થકો વચ્ચે પણ સંઘર્ષ થયું હતું.












Click it and Unblock the Notifications
