સેહવાગને ટીમની બહાર કાઢવા પાછળ ધોનીનો હાથ હોય શકે છે: ગાંગુલી
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આગામી ટેસ્ટ મેચ મોહાલીમાં યોજાવવાની છે. ચાર ટેસ્ટ મેચોની શૃંખલામાંથી બે મેચ જીતીને ભારત શૃંખલામાં 2-0થી આગળ છે. ચોથી ટેચ દિલ્હીમાં રમાવનારી છે.
સૌરવ ગાંગુલીએ કહ્યું છે કે ફોર્મના આધાર પર જો વિરેન્દ્ર સેહવાગને ટેસ્ટ ટીમમાંથી બહાર કરવામાં આવ્યાં છે તો આ આધાર પર અન્ય ખેલાડી પણ બહાર થવા જોઇએ. તેમને કહ્યું હતું કે વિરેન્દ્ર સેહવાગની કમી ભારતને અનુભવવી પડશે.
વિરેન્દ્ર સેહવાગને ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ હાલની સીરીજમાં અત્યાર સુધી રમવામાં આવેલી બે મેચમાં ત્રણ દાવમાં 2,19 અને 6 રન બનાવ્યા છે. આ કારણે પંદગીકર્તાઓએ તેમની પસંદગી કરી નથી. ત્રીજી ટેસ્ટ મેચ મોહાલીના પંજાબ ક્રિકેટ સંઘ (પીસીએ) મેદાન પર 14 માર્ચના રોજ રમાશે અને વિરેન્દ્ર સેહવાગ હવે આ મેદાન પર સૌથી વધુ રન બનાવનાર બેસ્ટમેન છે.
મોહાલીમાં વિરેન્દ્ર સેહવાગે છ મેચોના 12 દાવમાં એક વાર અણનમ રહેતાં અત્યાર સુધી 645 રન બનાવ્યાં છે. તેમનાથી વધુ રન રાહુલ દ્રવિડ (735) અને સચિન તેન્ડુલકર (709) રન બનાવ્યા છે. વિરેન્દ્ર સેહવાગ ટીમમાં હોત તો તે દ્રવિડને પછાડી મોહાલીના દબંગ બની શકતા પરંતુ કદાચ તેમની કિસ્મત સાથ આપી રહી નથી.