Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

વિકેટનું શું મહત્વ છે તે ધોનીએ સમજાવ્યું: જાડેજા

કોચી, 17 જાન્યુઆરીઃ ઇંગ્લેન્ડ સામેની વનડે શ્રેણીની બીજી વનડેમાં મહત્વપૂર્ણ પ્રદર્શન કરનારા મધ્યમક્રમના બેટ્સમેન રવિન્દ્ર જાડેજાએ જણાવ્યું કે, ટીમના સુકાની મહેન્દ્ર સિંહ ધોનીએ તેમને વિકેટના મહત્વ અંગેની સમજણ આપી હતી. જાડેજાએ કોચી વનડેમાં 37 બોલમાં 61 રન બનાવ્યા હતા અને સાત આવોમાં 12 રન આપી બે વિકેટ મેળવી હતી.

ravindra jadeja
જાડેજાના ઓલરાઉન્ડ પ્રદર્શનના કારણે ટીમ ઇન્ડિયાએ ઇંગ્લેન્ડ સામે 127 રને વિજય મેળવ્યો હતો. જાડેજાએ ધોની સાથે છઠ્ઠી વિકેટ માટે 96 રનની ભાગીદારી નોંધાવી હતી, જેના કારણે અંતિમ દશ ઓવરમાં ટીમ 110 રન બનાવવામાં સફળ રહી હતી.

મેચ બાદ જાડેજાએ કહ્યું કે ધોનીએ મને કહ્યું કે, તારે તારા વિકેટનું મહત્વ સમજવું જોઇએ અને ક્રીઝ પર વધારે સમય રોકાવાનો પ્રયત્ન કરવો જોઇએ, મે તેવું જ કર્યું. સૌરાષ્ટ્રના આ બેટ્સમેને કહ્યું કે, અહીં બેટિંગ કરવી સહેલી હતી, બોલ સહેલાયથી બેટ પર આવતા હતા. શરૂઆતમાં અમારા ઓપનર જલદી આઉટ થઇ ગયા હતા જેના કારણે મધ્યમક્રમ પર દબાણ વધી ગયું હતું. પરંતુ અમારા પછીના બેટ્સમેનોએ સારું પ્રદર્શન કર્યું હતું.

જાડેજાના જણાવ્યા પ્રમાણે તે પોતાના પ્રદર્શનથી ખુશ છે અને આગળ પણ તે આ પ્રકારનું પ્રદર્શન કરવા ઇચ્છે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X