સચિનનું ક્રિઝ પર વધુ સન્માન કરશો નહી : જેમ્સ એંડરસન

જેમ્સ એંડરસને અમદાવાદમાં 15 નવેમ્બરથી શરૂ થનારી ચાર ટેસ્ટ મેચની શ્રૃંખલા પહેલાં જ 'ધ ડેલી મેલ' માં પોતાની કોલમમાં લખ્યું છે કે એવી વાતો ચાલી રહી છે આ સચિન તેંડુલકરની અંતિમ ટેસ્ટ શ્રૃંખલા હોય શકે છે. મને તેમની વિરૂદ્ધ બોલિંગ કરવાની મજા આવે છે કારણ કે તે સર્વશ્રેષ્ઠ બેસ્ટમેન વિરૂદ્ધ બોલિંગ કરીને પરીક્ષા લેવી આ રમતમાં મહત્વ ધરાવે છે.
તેમને કહ્યું હતું કે મારા મગજમાં એવો કોઇ પ્રશ્ન નથી કે તે 20 વર્ષ સુધી સર્વશ્રેષ્ઠ બેસ્ટમેન રહ્યાં છે. પરંતુ અમારે નક્કી કરવું પડશે કે અમે તેમને ક્રીઝ પર વધુ સન્માન આપીશું નહી.












Click it and Unblock the Notifications
