For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફિક્સિંગ : જેટલીએ કહ્યું આજે મોટો ખુલાસો થશે

|
Google Oneindia Gujarati News

arun-jaitley
નવી દિલ્હી, 1 જૂન : ક્રિકેટ મેચોમાં સ્પોટ ફિક્સિંગ મામલે બીસીસીઆઇના અધ્યક્ષ શ્રીનિવાસનને તેમના પદ પરથી દૂર કરવાનું દબાણ વધ્યું છે. બીજી તરફ શુક્રવારે મોડી સાંજે બોર્ડના સચિવ સંજય જગદાલે અને કોષાધ્યક્ષ અજય શિરકેએ પોતાના રાજીનામા આપી દીધા હતા. આ દરમિયાન ઉપાધ્યક્ષ અરૂણ જેટલીએ જણાવ્યું છે કે આજે થોડી રાહ જુઓ, મોટી ખબર મળી શકે એમ છે. બીજી તરફ કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહે જણાવ્યું છે કે ક્રિકેટ બોર્ડ્સમાં માત્ર ખેલાડીઓ જ હોવા જોઇએ.

આ દરમિયાન એવા પણ સમાચાર છે કે સંયુક્ત સચિવ અનુરાગ ઠાકુર અને પાંચ ઉપાધ્યક્ષો પણ આજે રાજીનામુ આપી શકે છે. આ ઉપાધ્યક્ષોમાં અરૂણ જેટલી - ઉત્તર, નિરંજન શાહ - પશ્ચિમ, સુધીર ડાબિર - મધ્ય, ચિત્રક મિત્રા - પૂર્વ અને શિવલાલ યાદવ - દક્ષિણનો સમાવેશ થાય છે. જો કે ચિત્રક મિત્રાએ એમ પણ જણાવ્યું છે કે તેઓ રાજીનામુ આપવાનું વિચારી રહ્યા નથી. રાજીનામુ આપવા માટે મારા પર કોઇ દબાણ નથી.

રિપોર્ટ અનુસાર શ્રીનિવાસન પર પોતાના પદથી ખસી જવાનું દબાણ વધારવા માટે ઉપાધ્યક્ષો પોતાના રાજીનામા આપશે. આ મુદ્દે 8 જૂને કાર્યકારીણીની તત્કાલિન બેઠક પર બોલાવવામાં આવી છે.

English summary
Fixing : Jaitley said big news may come today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X