બીસીસીઆઇના અધ્યક્ષ પદે ચૂંટણી લડશે શ્રીનિવાસન
મુંબઇ, 20 સપ્ટેમ્બરઃ આઇપીએલ સ્પોટ ફિક્સિંગ અને સટ્ટેબાજીને લઇને આરોપોનો સામનો કરી રહેલા બીસીસીઆઇના પૂર્વ અધ્યક્ષ એન શ્રીનિવાસન ફરીથી બોર્ડના અધ્યક્ષ પદની ચૂંટણી લડવની તૈયારીમાં છે. તેમણે મીડિયાને જાણકારી આપતા કહ્યું છે કે, હું ફરીથી આ પદની ચૂંટણી લડવા જઇ રહ્યો છું. તેઓ અહીં બીસીસીઆઇની માર્કેટિંગ કમિટિની બેઠકમાં આવ્યા હતા.
એ વાત નોંધવા યોગ્ય છે કે, શ્રીનિવાસનના જમાઇ ગુરુનાથ મયપ્પનનું નામ આઇપીએલમાં થયેલી સટ્ટાબાજીમાં આવ્યું હતું, ત્યારબાદ શ્રીનિવાસને બીસીસીઆઇનું અધ્યક્ષ પદ છોડવું પડ્યું હતું. તેમના સ્થાને જગમોહન દાલમિયાને બોર્ડની આંતરિક સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.













Click it and Unblock the Notifications
