કોહલીનો વિસ્ફોટ, 'ગાળો જ ભાંડુ છું ને, તેમા શું ખોટું છે'
ભારતીય ક્રિકેટ ટીમના કાર્યકારી સુકાની તરીકે તાજેતરમાં જ વિદેશી ધરતી પર 5-0થી શ્રેણી જીતને ઇતિહાસ રચનારા બેટ્સમેન વિરાટ કોહલીનું કહેવું છેકે ખેલ દરમિયાન આક્રમક થવામાં કંઇ જ ખોટું નથી. કેટલાક પૂર્વ વરિષ્ઠ ખેલાડીઓ દ્વારા ટીકા કરવામાં આવી હોવા છતાં પણ વિરાટ કોહલી પોતાના વ્યવહારમાં કોઇ જ બદલાવ લાવવાનું વિચારી રહ્યો નથી. તાજેતરમાં ઝિમ્બાવ્વે પ્રવાસ દરમિયાન 26 જુલાઇના રોજ હરારેમાં બીજી વનડે મેચ દરમિયાન ત્રીજા અમ્પાયર દ્વારા આઉટ આપવામાં આવ્યા પછી પણ મેદાન પર હાજર અમ્પાયર સાથે ચર્ચા કરવા અને ગુસ્સો કરવા બદલ પૂર્વ દિગ્ગજ ખેલાડીઓએ કોહલીની ટીકા કરી હતી અને તેને પોતાના સ્વભાવમાં બદલાવ લાવવા માટે કહ્યું હતું.
એક પ્રચાર અભિયાન સિંથોલ ચેલેન્જ વિરાટમાં ભાગ લેવા માટે આવેલા કોહલીએ કાર્યક્રમમાં એક ન્યુઝ એજન્સીને જણાવ્યું કે, મારી સાથે આ વિવાદ ઘણા લાંબા સમયથી ચાલી રહ્યો છે અને મે પહેલા પણ કહ્યું હતું કે મે ક્યારેય હદ પાર કરવાનો પ્રયાસ કર્યો નથી, પરંતુ હું મારા મૂળ આક્રમક સ્વભાવને નહીં બદલું, કારણ કે તેનાથી મને મારી રમત પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ મળે છે, કોહલીએ કહ્યું કે, જ્યારે તમે ભાવુક થઇ જાઓ છો તો તમે ભૂલ કરી બેસો છો, હું એક જીવતો જાગતો માનવ છું કોઇ મશીન નથી. દરેક વ્યક્તિથી આ પ્રકારની ભૂલો થાય છે.
તેણે વધુમાં કહ્યું કે, સુકાની બનવું એ એક અલગ પ્રકારનો અનુભવ છે, તેમાં ઘણુ બધુ દબાણ રહેલું છે. આ સ્પોર્ટમાં પોતાના દેશનું નેતૃત્વ કરવું એ ખરેખર એક મોટી પોસ્ટ છે, તેમા ઘણી જવાબદારી રહેલી છે. હું ખરેખર તેની દરેક પણનો આનંદ ઉઠાવી રહ્યો છું. તેમાં ઘણા પડકારો રહેલા છે અને હું તેની સાથે જીવવા માગુ છું.

આક્રમક થવામાં કંઇ જ ખોટું નથી
વિરાટ કોહલીનું કહેવું છેકે ખેલ દરમિયાન આક્રમક થવામાં કંઇ જ ખોટું નથી. કેટલાક પૂર્વ વરિષ્ઠ ખેલાડીઓ દ્વારા ટીકા કરવામાં આવી હોવા છતાં પણ વિરાટ કોહલી પોતાના વ્યવહારમાં કોઇ જ બદલાવ લાવવાનું વિચારી રહ્યો નથી.

મે ક્યારેય હદ પાર કરવાનો પ્રયાસ કર્યો નથી
મારી સાથે આ વિવાદ ઘણા લાંબા સમયથી ચાલી રહ્યો છે અને મે પહેલા પણ કહ્યું હતું કે મે ક્યારેય હદ પાર કરવાનો પ્રયાસ કર્યો નથી.

આક્રમક સ્વભાવને નહીં બદલું
હું મારા મૂળ આક્રમક સ્વભાવને નહીં બદલું, કારણ કે તેનાથી મને મારી રમત પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ મળે છે

ભાવુક થઇ જાઓ છો તો તમે ભૂલ કરી બેસો છો
જ્યારે તમે ભાવુક થઇ જાઓ છો તો તમે ભૂલ કરી બેસો છો, હું એક જીવતો જાગતો માનવ છું કોઇ મશીન નથી. દરેક વ્યક્તિથી આ પ્રકારની ભૂલો થાય છે.

અમ્પાયર સાથે ઉગ્ર ચર્ચા
ઝિમ્બાવ્વે પ્રવાસ દરમિયાન 26 જુલાઇના રોજ હરારેમાં બીજી વનડે મેચ દરમિયાન ત્રીજા અમ્પાયર દ્વારા આઉટ આપવામાં આવ્યા પછી પણ મેદાન પર હાજર અમ્પાયર સાથે ચર્ચા કરવા અને ગુસ્સો કરવા બદલ પૂર્વ દિગ્ગજ ખેલાડીઓએ કોહલીની ટીકા કરી હતી અને તેને પોતાના સ્વભાવમાં બદલાવ લાવવા માટે કહ્યું હતું.
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ










Click it and Unblock the Notifications
