શ્રીલંકન ક્રિકેટ ટીમને ICC એ સસ્પેન્ડ કરી, જાણો કેમ કાર્યવાહી કરાઈ?
વર્લ્ડકપમાં કઈ ખાસ ન કરી શકનારી શ્રીલંકન ટીમ માટે વધુ એક ઝટકો આપતા સમાચાર આપ્યા છે. અહેવાલો અનુસાર, આઈસીસીએ શ્રીલંકન ટીમની સદસ્યતા રદ્દ કરી દીધી છે.
શ્રીલંકા ક્રિકેટ બોર્ડમાં ચાલી રહેલી સરકારી દખલગીરીને કારણે ICCએ શ્રીલંકાની ક્રિકેટ ટીમને સસ્પેન્ડ કરી છે. હવે ટીમ કોઈ પણ ICC ઈવેન્ટ્સમાં ભાગ લઈ શકશે નહીં. ICCએ શ્રીલંકા ક્રિકેટ બોર્ડની સભ્યતા રદ કરી છે.

શ્રીલંકન ક્રિકેટમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે ઉથલપાથલ ચાલી રહી છે. રમતગમત મંત્રાલયે બોર્ડને બરતરફ કરીને વચગાળાના અધ્યક્ષની નિમણૂક કરી હતી. આ પછી ICCએ પોતાની કાર્યવાહી કરી છે. હવે શ્રીલંકા પ્રતિબંધ ન હટે ત્યાં સુધી ICCની કોઈપણ ઈવેન્ટમાં ભાગ લઈ શકશે નહીં.
શ્રીલંકન સરકારના ખેલ મંત્રીએ હાલમાં જ પૂર્વ કેપ્ટન અર્જુન રણતુંગાના નેતૃત્વમાં એક સમિતિની રચના કરી હતી. રણતુંગાને વચગાળાના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ પછી આ કાર્યવાહી થવાના સંકેત મળ્યા હતા.
શ્રીલંકાના રમતગમત મંત્રી રોશન રણસિંઘે સાત સભ્યોની સમિતિ બનાવી છે. આમાં કેટલાક પૂર્વ જજોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ સમિતિમાં ત્રણ જજ અને બે મહિલા સહિત સાત લોકો છે. અર્જુન રણતુંગા બોર્ડના વચગાળાના અધ્યક્ષ છે. ખેલ મંત્રાલયના હસ્તક્ષેપને કારણે આ કાર્યવાહી કરાઈ છે.
ICC સાથે જોડાયેલા ક્રિકેટ બોર્ડ કોઈ સરકારી કે રાજકીય હસ્તક્ષેપને મંજુરી નથી. આ શરતો હેઠળ આવે છે. જેના કારણે શ્રીલંકન ક્રિકેટને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. આવુ સસ્પેન્શન પહેલા પણ થયુ છે. ઝિમ્બાબ્વે ક્રિકેટ ટીમને પણ સસ્પેન્ડ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, ભારત સામેની હાર બાદ શ્રીલંકા ક્રિકેટ બોર્ડમાં સરકારની દખલગીરી વધી ગઈ હતી. ત્યાંના નાગરિકોએ બોર્ડ ચેરમેનના ઘરનો ઘેરાવ કર્યો હતો. ભારતીય ટીમ સામે શ્રીલંકાનો 302 રને પરાજય થયો હતો. જે બાદ મામલો ગરમાયો હતો.












Click it and Unblock the Notifications
