ટી-20 વર્લ્ડ કપ: ભારત-પાકની રોમાંચક મેચ, ભારતને મળ્યું 131 રનનું લક્ષ્યાંક
મીરપુર, 21 માર્ચ: આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે પ્રથમ ટ્વેન્ટી-20 મેચ રમાઇ રહી છે. જેને લઇને બંને ટીમના ખેલાડીઓ અને બંને દેશોના ક્રિકેટ પ્રેમીઓ પણ ભારે ઉત્સાહીત છે. આઇસીસી ટી-20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનની વિરુધ્ધ પહેલા મુકાબલામાં ભારતે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ટીમ ઇન્ડિયા આ મેચમાં ત્રણ સ્પિનર રવિન્દ્ર જાડેજા, આર. અશ્વિન અને અમિત મિશ્રાની સાથે મેદાનમાં ઉતરી છે.
ભારતે શરૂઆતથી જ પાકિસ્તાન પર દબાણ જમાવી લીધું હતું. પાકિસ્તાનની પહેલી વિકેટ બીજી જ ઓવરના 5 બોલે પડી હતી. કામરન અકમલની ભુવનેશ્વર કુમારની ઓવરમાં રન આઉટ થયો હતો. ત્યારબાદ મોહમ્મદ હાફીસની વિકેટ જાડેજાની ઓવરમાં ભુવી કુમારના હાથે કેચ આઉટ થઇ. જ્યારે પાકિસ્તાનની ત્રીજી વિકેટ અમીત મિશ્રાની ઓવરમાં એહમદ સહેજાદ ધોની દ્વારા સ્પમ્પ આઉટ થયો. હાલમાં પાકિસ્તાન ભારત સામે પૂરતું લક્ષ્યાંક રાખવા માટેની મહેનત કરી રહ્યું છે. નિર્ધારિત 20 ઓવરમાં પાકિસ્તાન 7 વિકેટના નુકસાન પર 130 રન બનાવી શક્યું હતું અને ભારત સામે 131 રનનું લક્ષ્યાંક આપ્યું હતું.
ભારત તરફથી અમીત મિશ્રાએ 2 વિકેટ લીધી હતી, જ્યારે ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ સામી અને રવિન્દ્ર જાડેજાએ 1-1 વિકેટ લઇને સંતોષ માન્યો હતો. પાકિસ્તાન તરફથી ઉમર અકમલે 34 બોલમાં 33 રન બનાવ્યા હતા.

-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
