જો આવું થયુ તો ભારત પાકિસ્તાનમાં એશિયા કપ રમશે!
એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) ની બેઠકમાં પાકિસ્તાનને એશિયા કપ 2023 નું હોસ્ટિંગ સોંપવામાં આવ્યું છે. આ એશિયા કપ વનડે ફોર્મેટમાં રમાશે. આ પછી, 2024 માં શ્રીલંકામાં એશિયા કપનું આયોજન કરવામાં આવશે, જે ટી 20 ફોર્મેટમાં હશે.
એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) ની બેઠકમાં પાકિસ્તાનને એશિયા કપ 2023 નું હોસ્ટિંગ સોંપવામાં આવ્યું છે. આ એશિયા કપ વનડે ફોર્મેટમાં રમાશે. આ પછી, 2024 માં શ્રીલંકામાં એશિયા કપનું આયોજન કરવામાં આવશે, જે ટી 20 ફોર્મેટમાં હશે. બીસીસીઆઈના સચિવ જય શાહની અધ્યક્ષતામાં એસીસીની બેઠક ગુરુવારે મળી હતી, જેમાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે પાકિસ્તાન છેલ્લા કેટલાક સમયથી હોસ્ટિંગ માટે સતત અવાજ ઉઠાવી રહ્યું હતું. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ પણ સ્પષ્ટ કર્યું હતું કે તે તેને કોઈ તટસ્થ સ્થળ પર નહીં પરંતુ પાકિસ્તાનમાં આયોજિત કરશે.
ક્રિકબઝના અહેવાલ અનુસાર, બીસીસીઆઈ અને પીસીબી બંને સૂત્રોએ આ અંગે સ્પષ્ટ માહિતી આપી છે. સંપૂર્ણ શેડ્યૂલ હજુ સુધી ફાઇનલ કરવામાં આવ્યું નથી પરંતુ તે સ્પષ્ટ છે કે ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં યોજાનારા 2023 વનડે વર્લ્ડ કપ પહેલા તૈયારી તરીકે એશિયા કપનું આયોજન કરવામાં આવશે. IPL બાદ એશિયા કપનું આયોજન કરવામાં આવશે.
એ જ રીતે 2024 માં ટી 20 વર્લ્ડ કપ ઓસ્ટ્રેલિયામાં રમાશે. તે પહેલા શ્રીલંકામાં T20 એશિયા કપનું આયોજન કરવામાં આવશે, જે ICC વર્લ્ડ કપની ટૂર્નામેન્ટની તૈયારી તરીકે કરવામાં આવશે. 2024 માં પણ ટી 20 વર્લ્ડ કપ ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાવાનો છે. આ સ્થિતિમાં એસીસી સપ્ટેમ્બરમાં એશિયા કપનું આયોજન કરવા આગ્રહ કરશે.
નોંધનીય છે કે પાકિસ્તાને 2020 માં જ એશિયા કપનું આયોજન કરવાનું હતું પરંતુ ભારતે પાકિસ્તાન જવાનો ઇનકાર કર્યા બાદ આ ટુર્નામેન્ટ મુલતવી રાખવામાં આવી હતી. હવે ફરી એકવાર આ મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે કે શું ટીમ ઈન્ડિયા પાકિસ્તાનમાં એશિયા કપ રમવા જશે?
આ વખતે એ વાત વધુ મજબુત રીતે માનવામાં આવી રહી છે કેપાકિસ્તાનની યજમાની માટે યોજાયેલી બેઠકની અધ્યક્ષતા બીસીસીઆઈના સચિવ જય શાહ દ્વારા કરવામાં આવી હતી. એટલે કે ક્યાંક તે આ માટે સંમત થયા હશે, જેના કારણે યજમાની પડોશી દેશને સોંપવામાં આવી છે. રિપોર્ટમાં પણ કહેવામાં આવ્યું હતું કે જય શાહે આઈપીએલ ફાઇનલ માટે પીસીબી ચેરમેન રમીઝ રાજાને પણ આમંત્રણ આપ્યું હતું. જો કે, કેટલાક કાર્યક્રમોના કારણે રાજા પહોંચી શક્યા ન હતા.
જો ભારતીય ટીમ 2023 માં એશિયા કપ રમવા માટે પાકિસ્તાન જશે તો પીસીબીના નવનિયુક્ત ચેરમેન રમીઝ રાજા માટે આ મોટી સિદ્ધિ સાબિત થઈ શકે છે. તમને જણાવી દઈએ કે શ્રીલંકાની ટીમ પર હુમલા બાદ તમામ દેશો પાકિસ્તાનમાં રમવાથી દૂર રહ્યા છે. તાજેતરમાં જ ન્યૂઝીલેન્ડે શ્રેણીની પ્રથમ મેચની શરૂઆત પહેલા પરત ફરવાની જાહેરાત કરી હતી. આ પછી ઈંગ્લેન્ડે તેમનો પાકિસ્તાન પ્રવાસ પણ રદ કર્યો હતો.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
