IND vs AUS : છેલ્લા મુકાબલમાં ભારતનો 6 રને વિજય, સિરીઝ પર 4-1 થી કબ્જો કર્યો
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલા T20 સિરીઝના પાંચમાં મુકાબલામાં ભારતનો 6 રને વિજય થયો છે. આ જીત સાથે ભારતે 4-1થી સિરીઝ જીતી લીધી છે.
ટોસ હાર્યા બાદ પહેલા બેટિંગ માટે ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત સારી ન રહી અને યશસ્વી જયસ્વાલ અને ઋતુરાજ ગાયકવાડની વિકેટ ગુમાી દીધી. આ પછી સૂર્યકુમાર યાદવ અને રિંકુ સિંહ પણ સસ્તામાં આઉટ થઈ ગયા.

મુશ્કેલ પરિસ્થિતિમાં ટીમને જીતેશ શર્મા અને શ્રેયસ અય્યરનો સાથ મળ્યો. બંને વચ્ચે પાંચમી વિકેટ માટે અડધી સદીની ભાગીદારી થઈ. ઝડપી રમતા જીતેશ 16 બોલમાં 3 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 24 રન બનાવ્યા.
શ્રેયસ અય્યરે એક છેડો સાચવ્યો અને આગળ જતા બીજા છેડે અક્ષર પટેલનો સાથ મળ્યો. અક્ષર પટેલે પણ ઝડપી બેટિંગ કરી અને 21 બોલમાં 31 રન બનાવ્યા. અય્યરે 36 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી. જો કે બીજા જ બોલ પર તે 53ના સ્કોર પર પેવેલિયન પરત ફર્યો. આમ ભારતનો સ્કોર 8 વિકેટે 160 રન સુધી પહોંચ્યો. બેહરનડોર્ફ અને દ્વારશુઈસે 2-2 વિકેટ લીધી હતી.
જવાબમાં ઓસ્ટ્રેલિયાની શરૂઆત ખરાબ રહી. મુકેશ કુમારે 4 રનના અંગત સ્કોર પર ફિલિપની વિકેટ લીધી. ટ્રેવિસ હેડે પોતાનો આક્રમક ઈરાદો બતાવ્યો અને કેટલાક શાનદાર શોટ ફટકાર્યા. આ પછી તે રવિ બિશ્નોઈની બોલિંગમાં 18 બોલમાં 28 રન બનાવીને આઉટ થયો.
આ પછી થોડી જ વારમાં બિશ્નોઈએ હાર્ડીને 6ના સ્કોર પર આઉટ કર્યો. મેકડર્મોટ અને ટિમ ડેવિડે ટીમને 100 પાર પહોંચાડી. આ પછી ડેવિડ 17 રન બનાવીને આઉટ થયો અને મેકડર્મોટ પણ ફિફ્ટી ફટકારીને 54 રને પેલેવિયન પરત ફર્યો.
આ પછી મુકાબલો ઓસ્ટ્રેલિયા માટે મુશ્કેલ બનતો ગયો. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન મેથ્યુ વેડે પ્રયાસ કર્યો પરંતુ છેલ્લી ઓવરમાં 22 રન બનાવીને આઉટ થઈ ગયો. આ પછી કોઈ રન ન થતાં ઓસ્ટ્રેલિયા દ8 વિકેટે 154 રન પર જ બનાવી શકી. આમ ભારતે 6 રને જીત મેળવી લીધી. ભારત માટે મુકેશ કુમારે 3 વિકેટ લીધી. અર્શદીપ અને રવિ બિશ્નોઈને 2-2 વિકેટ લીધી.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના







Click it and Unblock the Notifications
