વેસ્ટઇંડીઝને 59 રનોથી હરાવી ભારતે 2-1 થી જીતી સીરીઝ
નવી દિલ્હી, 18 ઓક્ટોબર: ભારત વેસ્ટઇંડીઝ વચ્ચે ચાલી રહેલી પાંચ મેચોની સીરીઝના ચાર મેચોમાં સમેટાયા બાદ ભારતીય ક્રિકેટ ટીમે ગઇકાલે મેચ જીતીને સીરીઝ પર કબજો કરી લીધો છે. ધર્મશાળાના મેદાનમાં સીરીઝના ચોથી વનડે મેચમાં વેસ્ટઇંડીઝને 59 રનથી હરાવી સીરીઝ પર 2-1થી કબજો કરી લીધો.
આ પહેલાં નાટકીય રીતે વેસ્ટઇંડીઝ ટીમના ખેલાડીઓએ વેસ્ટઇંડીઝ ક્રિકેટ બોર્ડ સાથે ચાલી રહેલા આંતરિક વિવાદના લીધે ધર્મશાળા વનડે બાદ સીરીઝમાં ભાગ ન લેવાની જાહેરાત કરી દિધી છે. મેચમાં વેસ્ટઇંડીઝના ખેલાડી શરૂઆતથી જે પ્રેશરમાં જોવા મળ્યા તો તો બીજી તરફ ઇંડીયાના ધુરંધર વિરાટ કોહલીએ ધમાકેદાર બેટીંગ કરી જીત પ્રાપ્ત કરી લીધી.
127 રન બનાવવનાર વિરાટ કોહલીને મેન ઓફ ધ મેચનો ખિતાબ આપવામાં આવ્યો. વિરાટ કોહલીની શાનદાર બેટીંગના લીધે ભારતીય ટીમે ટોસ હારીને પહેલાં બેટીંગ કરતાં 330 રનનો વિશાળ સ્કોર ઉભો કરી દિધો. તેનો જવાબ આપવા મેદાનમાં ઉતરેલી વેસ્ટઇંડીઝ ટીમ 48.1 ઓવરમાં 271 રન બનાવી ઓલ આઉટ થઇ ગઇ.