ચેમ્પિયન્સ ટ્રોફી: શ્રીલંકાને રગદોળી ભારતની ફાઇનલમાં એન્ટ્રી
કાર્ડિફ, 21 જૂન: આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીના બીજા સેમીફાઇનલ મુકાબલામાં ટીમ ઇન્ડિયાએ શ્રીલંકાને 8 વિકેટે હરાવી ફાઇનલમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે. શ્રીલંકાઇ ટીમની મહત્વપૂર્ણ ત્રણ વિકેટ ઝડપનાર ફાસ્ટ બોલર ઇશાંત શર્માને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. હવે ભારતનો ફાઇનલમાં મેજબાન ઇગ્લેંડની ટીમ સામે રવિવારે એજબેસ્ટનમાં થશે.
મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બોલીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. તિલકરત્ને દિલશાને ઝડપથી રમવાની શરૂઆત કરી હતી, પરંતુ માંસપેશીઓ ખેંચાતા તે ક્રીઝમાં ઉભા રહી ન શકતાં તે રિટાયર્ડ હર્ડ થઇને પેવેલિયન ભેગાં થઇ ગયા હતા. ત્યારબાદ થિરિમાનેને પ્રમોટ કરી બેસ્ટમેનના રૂપમાં મોકલવામાં આવ્યા હતા. ભુવનેશ્વર કુમારે ટીમ ઇન્ડિયાને પ્રથમ સફળતા અપાવી હતી જ્યારે બીજી વિકેટ ઇશાંત શર્માએ પ્રાપ્ત કરી હતી.
ભુવનેશ્વરે કુશલ પરેરાને સુરેશ રૈનાના હાથ કેચ આઉટ કરાવી દિધા હતા જ્યારે થિરિમને પણ સુરેશ રૈનાના હાથે સ્લિપમાં કેચ આઉટ થઇ ગયો હતો. મહેલા જયવર્ધને પિચ પર મૈથ્યુઝ સાથે જોડી બનાવી હતી પરંતુ રવિન્દ્ર જાડેજાએ જયવર્ધનેને બોલ્ડ કરીને જોડી તોડી દિધી હતી.
જયવર્ધનેએ 63 બોલમાં 38 રન બનાવ્યા હતા. 158 રનના સ્કોર પર મૈથ્યૂઝ ખરાબ શોટ રમવા જતાં ભુવનેશ્વરે તેનો કેચ લપકી લીધો હતો. મૈથ્યૂઝે 51 રન બનાવ્યા હતા. ત્યારબાદ કોઇપણ બેસ્ટમેન પીચ પર ટકી શક્યો ન હતો. અને અંતે શ્રીલંકાએ 50 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 181 રન બનાવ્યાં હતા. ભારત તરફથી અશ્વિન અને ઇશાંતે 3-3 વિકેટ જ્યારે ભુવનેશ્વર અને રવિન્દ્ર જાડેજાએ 1-1 વિકેટ ઝડપી હતી.
શ્રીલંકાને રગદોળી ભારતની ફાઇનલમાં એન્ટ્રી
શ્રીલંકાને રગદોળી ભારતની ફાઇનલમાં એન્ટ્રી
શ્રીલંકાને રગદોળી ભારતની ફાઇનલમાં એન્ટ્રી
શ્રીલંકાને રગદોળી ભારતની ફાઇનલમાં એન્ટ્રી
શ્રીલંકાને રગદોળી ભારતની ફાઇનલમાં એન્ટ્રી
શ્રીલંકાને રગદોળી ભારતની ફાઇનલમાં એન્ટ્રી
શ્રીલંકાને રગદોળી ભારતની ફાઇનલમાં એન્ટ્રી
શ્રીલંકાને રગદોળી ભારતની ફાઇનલમાં એન્ટ્રી
શ્રીલંકાને રગદોળી ભારતની ફાઇનલમાં એન્ટ્રી
શ્રીલંકાને રગદોળી ભારતની ફાઇનલમાં એન્ટ્રી
શ્રીલંકાને રગદોળી ભારતની ફાઇનલમાં એન્ટ્રી
શ્રીલંકાને રગદોળી ભારતની ફાઇનલમાં એન્ટ્રી
શ્રીલંકાને રગદોળી ભારતની ફાઇનલમાં એન્ટ્રી
શ્રીલંકાને રગદોળી ભારતની ફાઇનલમાં એન્ટ્રી
શ્રીલંકાને રગદોળી ભારતની ફાઇનલમાં એન્ટ્રી
ભારતીય બોલરોએ પોતાનું શાનદાર પ્રદર્શનના જોરે શ્રીલંકાઇ બેસ્ટમેનોને 50 ઓવરમાં આઠ વિકેટના નુકસાન પર 181 રન પર પેવેલિયન ભેગા કરી દિધા હતા જ્યારે તેના જવાબમાં મેદાન ઉતરેલી ભારતીય ટીમના ઓપનર્સે પણ નિરાશાજનક શરૂઆત કરી હતી જો કે રોહિત શર્મા 33 રન બનાવીને મૈથ્યૂઝ બોલ પર બોલ્ડ થઇ ગયો હતો. રોહિત શર્મા બાદ શિખર ધવન અને વિરાટ કોહલીએ રમતને આગળ ધપાવતાં 65 રનોની ભાગીદારી બનાવી હતી.
શિખર ધવને 92 બોલમાં છ ચોગ્ગા અને એક ચોગ્ગાની મદદથી 68 રન બનાવ્યા હતા. જ્યારે શિખર ધવન બાદ વિરાટ કોહલી અને સુરેશ રૈનાએ મોરચો સંભાળતા ફક્ત 35 ઓવરમાં ટીમ સ્કોર સુધી પહોંચાડી દિધી હતી. વિરાટ કોહલીએ 64 બોલમાં અણનમ 58 રન ફટકાર્યા હતા જ્યારે સુરેશ રૈનાએ વિનિંગ શોટ લગાવતાં 7 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. હવે ફાઇનલમાં ભારતનો મુકાબલો રવિવારે મેજબાન ઇગ્લેંડની ટીમ સાથે થશે.