પાક સામે ભારતની કોલકત્તામાં 'કરો યા મરો'ની જંગ

અત્રે ઉલ્લેખનીય છે કે ટીમ ઇન્ડિયા 3 મેચની શ્રેણીમાં 1-0થી પાછળ છે અને એવામાં બીજી વનડે હારી જવાથી ભારત શ્રેણી ગુમાવી બેસશે પરંતુ છેલ્લા 8 વર્ષ અને 20 શ્રેણીમાં ઘર આંગણે ભારતની આ માત્ર ત્રીજી હાર થશે. ઓસ્ટ્રેલિયા ઉપરાંત વર્ષ 2005માં પાકિસ્તાને ભારતને ઘર આંગણે માત આપી હતી.
નોંધનીય છે કે પાકિસ્તાન સામે કોલકાતામાં યોજાનાર આ મુકાબલામાં ટીમ ઇન્ડિયા માટે ચમત્કાર કરવો જરૂરી છે, કારણ કે આ માત્ર તાજની નહી બલકે લાજની પણ લડાઇ છે. જોકે વનડે ક્રિકેટને અલવિદા કહેનાર સચિન તેંડુલકરને પૂરેપૂરી આશા છે કે ટીમ શ્રેણીમાં જોરદાર વાપસી કરશે.












Click it and Unblock the Notifications
