પાક સામે ભારતની કોલકત્તામાં 'કરો યા મરો'ની જંગ

cricket
નવી દિલ્હી, 2 જાન્યુઆરી: પાકિસ્તાન અને ભારતની ટીમ ગુરુવારે કોલકાતામાં સીરિઝની બીજી વનડેમાં આમને સામને જંગ ખેલશે. પ્રથમ વનડે મુકાબલામાં હારનો સ્વાદ ચાખનાર ટીમ ઇન્ડિયા કોઇ પણ રીતે આ મુકાબલો જીતીને સીરીઝ બરાબર કરવાની કોશિશ કરશે. બીજી તરફ મિસ્બાહ-ઉલ-હક આ મેચ જીતીને 7 વર્ષ બાદ ભારતમાં શ્રેણીનું ટાઇટલ પોતાના નામે કરવા ઇચ્છશે. શ્રેણીની બીજી વનડે બપોરે 12 વાગ્યાથી રમાવાની છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ટીમ ઇન્ડિયા 3 મેચની શ્રેણીમાં 1-0થી પાછળ છે અને એવામાં બીજી વનડે હારી જવાથી ભારત શ્રેણી ગુમાવી બેસશે પરંતુ છેલ્લા 8 વર્ષ અને 20 શ્રેણીમાં ઘર આંગણે ભારતની આ માત્ર ત્રીજી હાર થશે. ઓસ્ટ્રેલિયા ઉપરાંત વર્ષ 2005માં પાકિસ્તાને ભારતને ઘર આંગણે માત આપી હતી.

નોંધનીય છે કે પાકિસ્તાન સામે કોલકાતામાં યોજાનાર આ મુકાબલામાં ટીમ ઇન્ડિયા માટે ચમત્કાર કરવો જરૂરી છે, કારણ કે આ માત્ર તાજની નહી બલકે લાજની પણ લડાઇ છે. જોકે વનડે ક્રિકેટને અલવિદા કહેનાર સચિન તેંડુલકરને પૂરેપૂરી આશા છે કે ટીમ શ્રેણીમાં જોરદાર વાપસી કરશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X