IPL 2022 : મુંબઈ આ 3 ખેલાડીને રિટેન શકે, હાર્દિક પંડ્યાની સંભાવના નહીં!
આઈપીએલ 2022ની હરાજી પહેલા રીટેન્શન નિયમો સામે આવી ગયા છે. નિયમો મુજબ, BCCI વર્તમાન આઠ આઈપીએલ ટીમોને મેગા ઓક્શન પહેલા 4 ખેલાડીઓ, 3 ભારતીય અને એક વિદેશીને જાળવી રાખવાની મંજૂરી આપશે.
નવી દિલ્હી : આઈપીએલ 2022ની હરાજી પહેલા રીટેન્શન નિયમો સામે આવી ગયા છે. નિયમો મુજબ, BCCI વર્તમાન આઠ આઈપીએલ ટીમોને મેગા ઓક્શન પહેલા 4 ખેલાડીઓ, 3 ભારતીય અને એક વિદેશીને જાળવી રાખવાની મંજૂરી આપશે. હવે ક્રિકેટ ચાહકો એ જાણવા ઉત્સુક હશે કે ક્યા ખેલાડીઓને કઈ ટીમે રિટેન કર્યા અને કોન આઉટ થઈને હરાજીમાં જોડાયા. રિટેન્શનના નિયમો સામે આવ્યા બાદ IPLના એક વરિષ્ઠ અધિકારીએ મુંબઈ ઈન્ડિયન્સ વિશે અભિપ્રાય આપ્યો હતો. અધિકારીએ સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું કે મુંબઈ ત્રણ ખેલાડીઓને રિટેન કરશે, પરંતુ હાર્દિક પંડ્યા બહાર રહેશે.

તમને જણાવી દઈએ કે, ચાર રિટેન્શનમાં બે ભારતીય અને બે વિદેશી ખેલાડી અથવા ત્રણ ભારતીય અને એક વિદેશી ખેલાડી હોઈ શકે છે. પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સની વાત કરીએ તો અધિકારીના જણાવ્યા અનુસાર સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને જાળવી રાખવામાં આવે તેવી શક્યતા નથી. મને લાગે છે કે BCCI પાસે રાઈટ ટુ મેચ (RTM) ફોર્મ્યુલા હશે. જો RTM ન હોય તો ચાર ખેલાડીઓને જાળવી રાખવાની મંજૂરી આપી શકાય છે. આવી સ્થિતિમાં ભારતનો રોહિત શર્મા અને ઝડપી બોલર જસપ્રિત બુમરાહ તેની પ્રથમ પસંદગી હશે. કીરોન પોલાર્ડ ટીમની ત્રીજી પસંદગી હશે. આ ત્રણ મુંબઈની તાકાત છે.
હાર્દિક પંડ્યા છેલ્લા કેટલાક સમયથી પીઠની ઈજાથી પરેશાન છે અને તેણે IPL 2021માં બોલિંગ પણ કરી નથી. અધિકારીએ કહ્યું કે તે હવે ઓલરાઉન્ડર નથી અને જ્યારે રિટેન કરવાની વાત આવે છે ત્યારે તે પાછળ છે. જો મુંબઈને ચોથા ભારતીય ખેલાડીને જાળવી રાખવાની તક મળે છે તો તેઓ હાર્દિકને બદલે સૂર્યકુમાર યાદવ અથવા ઈશાન કિશન સાથે જઈ શકે છે.
આ સમયે મુંબઈ દ્વારા હાર્દિકને જાળવી રાખવામાં આવે તેવી 10 ટકાથી ઓછી શક્યતા છે. હા, તે આગામી ટી20 વર્લ્ડ કપની કેટલીક મેચોમાં વધુ સારું પ્રદર્શન કરી શકે છે પરંતુ તેમ છતાં તેની શક્યતા ઓછી છે. જો ચાર ભારતીય જાળવી રાખવામાં આવે છે અથવા તેમની પાસે RTM છે, સૂર્યકુમાર યાદવ અને ઇશાન કિશન તે સ્લોટ માટેના દાવેદાર છે. હવે જોવાનું એ રહે છે કે મુંબઈ ક્યાં ખેલાડીઓ સાથે જઈ શકે છે.












Click it and Unblock the Notifications
