IPL 2023 : સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાને સલીમ દુર્રાનીને વિશેષ શ્રદ્ધાંજલિ આપી, જુઓ વીડિયો
સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સે હૈદરાબાદમાં રમાઈ રહેલા રવિવારના પહેલા મેચ પહેલા પુર્વ ભારતીય ક્રિકેટર સલીમ દુર્રાનીને વિશેષ શ્રદ્ધાંજલિ આપી હતી. હાલમાં જ પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર સલીમ દુર્રાનીનું કેન્સરને કારણે 88 વર્ષની વયે નિધન થયું છે. દુર્રાની જાણીતા ક્રિકેટર હતા અને હિટીંગ બેટીંગ માટે જાણીતા છે.

રાજીવ દુર્રાનીને શ્રદ્ધાંજલિ આપવા રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં હાજર ક્રિકેટરો અને દર્શકોએ બે મિનિટનું મૌન પાળી શોક વ્યક્ત કર્યો હતો. અમ્પાયરો સાથે તમામ ક્રિકેટરોએ તેમના સન્માનમાં બ્લેક રિબિન બાંધી મેદાનમાં ઉતર્યા છે.
બીજી તરફ આજની મેચમાં કેપ્ટન અડિન માર્કમની ગેરહાજરીમાં ભુવનેશ્વર કુમાર સનરાઈઝર્સ હૈદરાબાદની કેપ્ટનશીપ કરી રહ્યો છે. આ મેચમાં હૈદરાબાદે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.
.@SunRisers & @rajasthanroyals and the match officials observe silence to pay respects to the late Salim Durani. pic.twitter.com/alTAAhauoK
— IndianPremierLeague (@IPL) April 2, 2023
અહીં એ પણ જણાવી દઈએ કે, પીએમ નરેન્દ્ર મોદીએ પણ જૂની તસવીરો શેર કરીને સલીમ દુર્રાનીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યુ કે, સલિમ દુર્રાનીજીનો ગુજરાત સાથે ખૂબ જૂનો અને ઊંડો નાતો છે. તે થોડા વર્ષો સુધી સૌરાષ્ટ્ર અને ગુજરાત માટે રમ્યા હતા. તેમણે ગુજરાતને પણ પોતાનું ઘર બનાવ્યું હતું. મને તેમની સાથે વાર્તાલાપ કરવાની તક મળી છે અને તેમના બહુઆયામી વ્યક્તિત્વથી હું ખૂબ જ પ્રભાવિત થયો છું. સલીમ દુરાનીજી ક્રિકેટના દિગ્ગજ હતા, તે પોતાનામાં એક સંસ્થા હતા.












Click it and Unblock the Notifications
