IPL-6: દિલ્હીએ પૂણેને આપી 15 રને માત
રાયપૂર, 29 એપ્રિલ: દિલ્હી ડેરડેવિલ્સ ટીમે પોતાના નવા ઘર રાયપૂરના વીર નારાયણસિંહ સ્ટેડિયમમાં રવિવારે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ છની પોતાની 9મી મેચમાં પૂણે વોરિયર્સ ઇન્ડિયાને 15 રને હરાવી દીધું. આઇપીએલની આ સિઝનમાં ડેરડેવિલ્સની આ માત્ર બીજી જીત છે જ્યારે વોરિયર્સને નવ મેચોમાં આ સાતમી હાર છે.
ડેરડેવિલ્સ દ્વારા આપવામાં આવેલ 165 રનોના લક્ષ્યનો પીછો કરતા વોરિયર્સની સારી શરૂઆત છતાં નિર્ધારિત 20 ઓવરમાં ચાર વિકેટ પર 149 રન જ બનાવી શક્યા. ડેરડેવિલ્સ માટે ઇરફાન પઠાણ અને ઉમેશ યાદવે બે-બે વિકેટ લીધી.
શહીદ વીર નારાયણ સિંહ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ 19મું ગ્રાઉન્ડ છે જ્યાં આઇપીએલની મેચ યોજાઇ. દેલ્હીને રાયપૂર સ્ટેડિયમમાં હજી બે મેચ રમવાની છે. 1 મેના રોજ દિલ્હીનો સામનો કોલકાતાની ટીમ સાથે થશે. પૂણેને છેલ્લી ઓવરમાં જીત માટે 28 રનોની જરૂરિયાત હતી પરંતુ લેફ્ટ આર્મ સ્પિનર શહબાજ નદીમની આ ઓવરમાં માત્ર 13 રન જ બન્યા અને પૂણેને હારનો સામનો કરવો પડ્યો.






















Click it and Unblock the Notifications
