IPL Auction 2023 : ઓટો રિક્ષાચાલક પિતાનો દિકરો ઓક્શનમાં 5.5 કરોડમાં વેચાયો, જાણો કોણ છે આ ખેલાડી?
આઈપીએલ ઓક્શનમાં ઘણા ખેલાડીઓને લોટરી લાગી છે. ખેલાડીઓ પર રૂપિયાનો વરસાદ થઈ રહ્યો છે ત્યારે ભારતના એક ખેલાડીને પણ લોટરી લાગી છે. આઈપીએલ ઓક્શનમાં બોલર મુકેશ કુમાર પર રૂપિયાનો વરસાદ થયો છે.
આઈપીએલ ઓક્શનમાં ઘણા ખેલાડીઓને લોટરી લાગી છે. ખેલાડીઓ પર રૂપિયાનો વરસાદ થઈ રહ્યો છે ત્યારે ભારતના એક ખેલાડીને પણ લોટરી લાગી છે. આઈપીએલ ઓક્શનમાં બોલર મુકેશ કુમાર પર રૂપિયાનો વરસાદ થયો છે.

ભારતીય ફાસ્ટ બોલર મુકેશ કુમાર આઈપીએલ ઓક્શનમાં 5 કરોડ 50 લાખ રૂપિયામાં વેચાયો છે. મુકેશ કુમાર માટે ત્રણ ટીમોએ બોલી લગાવીવી હતી. ચેન્નાઈ સુપર કિંગ્સ, દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ મુકેશ કુમાર માટે બોલી લગાવતી જોવા મળી હતી. ત્રણે ટીમો વચ્ચે મોટી ટક્કર બાદ દિલ્હી કેપિટલ્સે 5 કરોડ 50 લાખ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. આજે કરોડોમાં વેચાયેલો મુકેશ કુમાર મોટો સંઘર્ષ કરીને અહીં સુધી પહોંચ્યો છે.
દિલ્હી કેપિટલ તરફથી આઈપીએલ રમવા જઈ રહેલો મુકેશ કુમાર મુળ બિહારના ગોપાલગંજનો રહેવાસી છે. મુકેશ કુમારના પિતા ઓટો રિક્ષા ચલાવતા હતા અને 2019માં બ્રેઈન સ્ટ્રોક આવતા અવસાન થયુ હતું. મુકેશ કુમારની દક્ષિણ આફ્રિકા સામે વન ડે ટીમમાં પસંદગી થઈ હતી. જો કે તેને એક પણ વન ડે રમવાનો મોકો મળ્યો નહોતો. મુકેશ કુમારે સ્થાનિક ક્રિકેટમાં ધમાકેદાર પ્રદર્શન કર્યુ છે અને હેવ આઈપીએલમાં છવાઈ જવા તૈયાર છે.
અહીં તમને જણાવી દઈએ કે આ વખતે આઈપીએલમાં રૂપિયાનો વરસાદ થયો છે. ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર સેમ કુરનને 18 કરોડ 50 લાખમાં પંજાબ કિંગ્સે ખરીદ્યો છે. આ સિવાય મુંબઈ ઈન્ડિયન્સે કેમરૂન ગ્રીનને 17 કરોડ 50 લાખમાં ટીમમાં સમાવ્યો હતો. તે સિવાય બેન સ્ટોક્સને ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે 16 કરોડ 25 લાખ રૂપિયામાં ખરીદ્યો છે.
-
રાજીવ ચંદ્રશેખરનો દાવો: કેરળમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો ઉદય થશે -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ



Click it and Unblock the Notifications
