શું ધોની બોલિવૂડમાં આવવાની તૈયારી કરી રહ્યો છે?
ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન અને હાલમાં આઈપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ સંકેત આપ્યા છે કે આઈપીએલ 2022 રમ્યા બાદ તે આઈપીએલમાંથી પણ સંન્યાસ લેશે.
નવી દિલ્હી, 6 ઓક્ટોબર : ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન અને હાલમાં આઈપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ સંકેત આપ્યા છે કે આઈપીએલ 2022 રમ્યા બાદ તે આઈપીએલમાંથી પણ સંન્યાસ લેશે. તાજેતરમાં CSK દ્વારા તેનો એક વીડિયો બહાર પાડવામાં આવ્યો હતો, જેમાં તેણે IPL ની છેલ્લી મેચ તેના મનપસંદ ચેપૌક મેદાન પર રમવાની વાત કરી હતી. નિવૃત્તિના સમાચારો વચ્ચે મંગળવારે એક કાર્યક્રમ દરમિયાન ધોનીને તેની ભાવિ યોજનાઓ વિશે પૂછવામાં આવ્યું તો માહીએ રસપ્રદ જવાબ આપ્યો હતો.
ધોની બોલિવૂડમાં એન્ટ્રી કરશે?
ધોનીને સવાલ પૂછવામાં આવ્યો હતો કે શું તે ક્રિકેટ બાદ બોલિવૂડ તરફ વળશે? જેના પર ધોનીએ હસતા હસતા કહ્યું કે અભિનય તેના માટેની વસ્તુ નથી, બોલિવૂડમાં કામ કરવું સરળ નથી, ધોનીએ કહ્યું કે તે જાહેરાતોમાં ખૂબ ખુશ છે, અભિનય એક અઘરું કામ છે, જે તેના માટે સરળ નથી.
ક્રિકેટ સાથે જોડાયેલો રહીશ અને જાહેરાતો કરવાનું ચાલુ રાખીશ
ધોનીએ આગળ કહ્યું કે, અભિનેતાઓને તેમનું કામ કરવા દેવુ જોઈએ, હું ક્રિકેટ સાથે જોડાયેલો રહીશ અને એડ કરતો રહીશ, આનાથી વધુ નહીં.
ઘણા ક્રિકેટરોએ ફિલ્મોમાં કામ કર્યું છે
આ સવાલ ધોનીને એટલા પૂછવામાં આવ્યો હતો, કારણ કે ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ હરભજન સિંહ અને ઈરફાન પઠાણ જેવા ક્રિકેટરોએ ફિલ્મોમાં શરૂઆત કરી હતી, જ્યારે સૌરવ ગાંગુલીએ શોને હોસ્ટ કર્યો હતો, જ્યારે વીરેન્દ્ર સહેવાગ સોશિયલ મીડિયા પર તેની એક ચેનલ ચલાવી રહ્યો છે.
ધોની ક્રિકેટ પછી શું કરશે?
ધનીની ખૂબ નજીક રહેલો સુરેશ રૈના પણ પોતાની સંગીત કુશળતાને લોકો સમક્ષ રજૂ કરી રહ્યો છે, એટલે જ ફેન્સ ધોની ક્રિકેટ પછી શું કામ કરશે તે જાણવા માંગે છે, ધોની તેના નિર્ણયોથી દરેક ક્ષણે લોકોને ચોંકાવતો રહે છે. આ કારણસર તેને બોલિવૂડ વિશે પૂછવામાં આવ્યું હતું.
રાજકારણમાં નસીબ અજવામી શકે છે
અગાઉ એવા સમાચાર હતા કે ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ ધોની રાજકારણમાં પોતાનું નસીબ અજમાવી શકે છે. એવા અહેવાલો હતા કે તે ઝારખંડથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી શકે છે, પરંતુ તે પણ થોડા સમય પછી અફવા સાબિત થઈ હતી.
IPL માં ધોનીનો સિતારો ચમકી રહ્યો છે
હાલ આઈપીએલમાં ધોનીનો જલવો અકબંધ છે. તેની ટીમ IPL ની આ સિઝનમાં પ્લેઓફમાં પ્રવેશ કરનાર પ્રથમ ટીમ બની છે. ધોનીના નેતૃત્વમાં ટીમ શાનદાર પ્રદર્શન કરી રહી છે અને લોકો તેને આ વખતે જીતની મજબૂત દાવેદાર માની રહ્યા છે.