જસપ્રીત બુમરાહ T20 વર્લ્ડકપમાંથી બહાર, જલ્દી રિપ્લેસમેન્ટની જાહેરાત થશે!
T20 વર્લ્ડકપ પહેલા ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ભારતીય ટીમના સ્ટાર ખેલાડી જસપ્રીત બુમરાહની ટીમ ઈન્ડિયામાંથી બાદબાકી થઈ ગઈ છે.
નવી દિલ્હી : T20 વર્લ્ડકપ પહેલા ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ભારતીય ટીમના સ્ટાર ખેલાડી જસપ્રીત બુમરાહની ટીમ ઈન્ડિયામાંથી બાદબાકી થઈ ગઈ છે. બીસીસીઆઈએ જસપ્રીત બુમરાહ ટી20 વર્લ્ડકપમાંથી બહાર થઈ ગયો હોવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. હવે બીસીસીઆઈ કોઈપણ સમયે તેના રિપ્લેસમેન્ટની જાહેરાત કરશે.
આખરે ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2022માંથી બહાર થઈ ગયો છે. BCCIએ આ નિર્ણયને જાહેર કરી દીધો છે. આ નિર્ણય બીસીસીઆઈની મેડિકલ ટીમે વિગતવાર મૂલ્યાંકન અને નિષ્ણાતોની સલાહ લીધા બાદ લીધો છે. બુમરાહ પીઠની ઈજાને કારણે દક્ષિણ આફ્રિકા સામે ચાલી રહેલી 3 મેચની T20I શ્રેણીમાંથી બહાર થઈ ગયો હતો.
અહીં તમને જણાવી દઈએ કે, બુમરાહની ઈજા બાજ સતત અટકળો લગાવવામાં આવી રહી હતી કે તે ટી20 વર્લડકપમાંથી બહાર થઈ શકે છે. હવે બીસીસીઆઈ તેની સત્તાવાર જાહેરાત કરી દીધી છે.