ટી20માં ભારત સામે હારતા પાકિસ્તાનના દર્શકો અંદરોઅદંર બાખડ્યા
ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મુકાબલો હંમેશા રોમાંચભર્યો રહે છે. મુલ્તાનના સ્પોર્ટ્સ ગ્રાઉન્ડમાં પણ મેચ જોવા માટે એક મોટી સ્ક્રિન લગાવવામાં આવી હતી, જ્યાં મોટી સંખ્યામાં દર્શકો મેચનો આંનદ ઉઠાવી રહ્યાં હતા, પરંતુ પાકિસ્તાનની હાર થતાં નિરાશ દર્શકોમાં વાદ-વિવાદ વ્યાપ્યો હતો અને તણાવભર્યો માહોલ ઉભો થઇ ગયો હતો. જે બાદમાં મારપીટમાં પરીણમ્યો હતો.
ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યારસુધી રમાયેલી મેચોમાં ભારતે જ વિજયનો સ્વાદ ચાખ્યો છે. વનડે મેચના વિશ્વકપમાં બન્ને દેશો વચ્ચે પાંચ અને ટી20 વિશ્વકપમાં કુલ ત્રણ મેચ રમાઇ છે, આ તમામ મેચોમાં ભારતનો વિજય થયો છે.
ભારત-પાકિસ્તાનની મેચો ઘણી તણાવભરી હોય છે, બન્ને દેશોના પ્રશંસકો પોત-પોતાની ટીમોને જીતતી જોવા ઇચ્છે છે. આવું પહેલીવખત નથી થયું, આ પહેલા પણ વનડે વિશ્વકપ 2011માં રમાયેલી મેચમાં પાકિસ્તાનના પરાજય પછી ક્રિકેટ પ્રશંસકો નિરાશ થઇ ગયા હતા.