નસીરૂદ્દીન શાહે પોતાની ઓલ ટાઈમ ફેવરીટ ક્રિકેટ ટીમ બનાવી
અભિનેતા નસીરુદ્દીન શાહને ક્રિકેટ સાથે સારો લગાવ છે. 1992 માં ચમત્કાર ફિલ્મમાં નસીરુદ્દીન શાહ માર્કો નામના ભૂતની ભૂમિકામાં પોતાની જાદુઈ શક્તિથી ક્રિકેટ મેચ દરમિયાન દર્શકોને ખુશ કરતા જોવા મળ્યા હતો.
અભિનેતા નસીરુદ્દીન શાહને ક્રિકેટ સાથે સારો લગાવ છે. 1992 માં ચમત્કાર ફિલ્મમાં નસીરુદ્દીન શાહ માર્કો નામના ભૂતની ભૂમિકામાં પોતાની જાદુઈ શક્તિથી ક્રિકેટ મેચ દરમિયાન દર્શકોને ખુશ કરતા જોવા મળ્યા હતો. ત્યારબાદ 1988 માં માલામાલ નામની ફિલ્મમાં તેણે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સુનિલ ગાવસ્કર સાથે સ્ક્રીન શેર કરી હતી.

અભિનેતા હોવા ઉપરાંત, તે ક્રિકેટના દિવાના પણ છે. તેઓ ક્રિકેટના ઇતિહાસ અને તાજેતરની ઘટનાઓમાં સારી રીતે વાકેફ છે. તેણે તાજેતરમાં સચિન તેંડુલકર અને રાહુલ દ્રવિડ સહિતના ઘણા ભૂતપૂર્વ ખેલાડીઓ સાથે પોતાની મનપંસદ પ્લેઈંગ ઇલેવન જાહેર કરી છે. તેણે વર્તમાન ટીમના કોઈ પણ ક્રિકેટરને પસંદ કર્યો નથી. એક ઇન્ટરવ્યુમાં તેને આ ચીમની જાહેરાત કરી હતી.
નસીરૂદીન શાહે વિનુ માંકડ અને ફારૂક ઇજનેરની ઓપનીંગ જોડી પસંદ કરી છે, ત્યારબાદ સચિન અને દ્રવિડ નંબર 3 અને નંબર 4 પર છે. તેણે મંસૂર અલી ખાન, પોલી ઉમરીગર, જી વિશ્વનાથ અને કપિલ દેવને ટીમમાં પસંદ કર્યા. છેલ્લે મોહમ્મદ નિસાર, અમરસિંહ, બિશનસિંહ બેદી અને બાલુ પાવલંકરને બોલિંગ માટે પસંદ કર્યા છે.
સચિન તેંડુલકર અને રાહુલ દ્રવિડ વચ્ચે પસંદગી કરવાનું કહેતાં નસીરુદ્દીને ખચકાટ કર્યા વિના દ્રવિડની પસંદગી કરી. તેણે કહ્યું, 'દ્રવિડ કોઈપણ દિવસ.' ઇન્ટરવ્યૂ દરમિયાન 70 વર્ષના શાહને હાલની પેઢીના પ્રિય ક્રિકેટરનું નામ જણાવવાનું પણ કહેવામાં આવ્યું હતું. નસીરુદ્દીને રવિચંદ્રન અશ્વિનને વર્તમાન સમયના શ્રેષ્ઠ સ્પિનર તરીકે પસંદ કર્યો. અશ્વિનેટેસ્ટમાં 25.43 ની નોંધપાત્ર એવરેજથી 365 વિકેટ લીધી છે. આ સાથે જ તેની વન ડેમાં 150 વિકેટ છે. અશ્વિન યુએઈમાં 19 સપ્ટેમ્બરથી શરૂ થતાં આઈપીએલમાં કિંગ્સ ઇલેવન પંજાબનું પ્રતિનિધિત્વ કરશે. તમિલનાડુના ઓલરાઉન્ડર પાસે 71 ટેસ્ટ, 111 વનડે અને 46 ટી -20 રમવાનો અનુભવ છે.
નસીરુદ્દીન શાહની ઓલ ટાઇમ પ્લેઇંગ ઇલેવન
વિનુ માંકડ, ફારૂક એન્જિનિયર, સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ, મન્સુર અલી ખાન, પોલી ઉમરીગર, જી વિશ્વનાથ, કપિલ દેવ, મોહમ્મદ નિસાર/અમર સિંહ, બિશનસિંહ બેદી, બાલુ પાવલંકર
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
