ટીમ ઇન્ડિયાના સિંહની ગર્જનાઃ હારનો બદલો લેવા રમીશું
નવીદિલ્હી, 8 જાન્યુઆરીઃ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહનું કહેવું છે કે ઇંગ્લેન્ડ વિરુદ્ધ આગામી વનડે શ્રેણીમાં ટીમ ઇન્ડિયા પાસે ટેસ્ટ મેચોમાં મળેલી હારનો બદલો લેવાની સોનેરી તક છે. ઓલરાઉન્ડરે કહ્યું કે, ઇંગ્લેન્ડે તાજેતરમાં ટેસ્ટ શ્રેણીમાં અમને પરાજય આપ્યો છે. તેમની ટીમ સારી છે. અમારે તેમને હરાવવા અને પોતાની હારનો બદલો લેવા માટે સારું રમવું પડશે. યુવરાજ પોતાના ફોર્મથી સંતુષ્ટ છે અને તેને આશા છે કે તે પાંચ મેચની શ્રેણીમાં મોટી ઇનિંગ રમવામાં સફળ થશે.

તેણે કહ્યું કે, હું સારી રીતે બોલિંગ કરી રહ્યો છું અને સમયાંતરે સારું પ્રદર્શન કરી રહ્યો છું. હું ટી-20માં સારા ફોર્મમાં છું અને આશા છે કે શ્રેણીમાં લાંબી ઇનિંગ રમવામાં સફળ રહીશ. ઇંગ્લેન્ડના બેટ્સમેન કેવિન પીટરસને કહ્યું કે, ભારતીય લાઇન અપમાં યુવરાજ ખતરનાક ખેલાડી છે. તેણે કહ્યું કે, તે ભારતીય લાઇન અપનો સૌથી વિસ્ફોટક બેટ્સમેન છે. અમારે તેને જલદી આઉટ કરવો પડશે નહીંતર તે અમારા હાથમાંથી મેચ છીનવી લેશે.
પીટરસને ક્યારેક યુવરાજને પાઇ ચકર કહ્યું હતું. આ ભારતીય બેટ્સમેન સાથેના સંબંધો અંગે પીટરસને કહ્યું કે, અમે મેદાનમાં પ્રતિસ્પર્ધી છીએ, પરંતુ મેદાન બહાર સારા મિત્રો છીએ. મેદાન પર તે મને આઉટ કરવાના પ્રયત્નો કરસે અને હું પણ તેવું જ કરીશ. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પહેલી વનડે 11 જાન્યુઆરીએ રાજોકટમાં રમાશે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
