રોહિત શર્માને ટેસ્ટ ટીમમાંથી બહાર કરવાની તૈયારી? આ ખેલાડીને બનાવાઈ શકે છે કેપ્ટન
ભારતીય ટીમ 19 ફેબ્રુઆરીથી શરૂ થનારી ચેમ્પિયન્સ ટ્રોફી માટે દુબઈ જવા રવાના થઈ છે. આ દરમિયાન રોહિત શર્માને લઈને એક મોટો ખુલાસો સામે આવ્યો છે.
અહેવાલો પર વિશ્વાસ કરીએ તો રોહિત શર્માની ટેસ્ટ કારકિર્દી મુશ્કેલીમાં છે. તેને હવે ટેસ્ટ મેચ માટે પસંદ કરવામાં આવે તેવી શક્યતા નથી. તેના સ્થાને નવા કેપ્ટન તરીકે જસપ્રીત બુમરાહનું નામ ફાઇનલ કરી દેવાયુ છે.

હિન્દુસ્તાન ટાઈમ્સના એક અહેવાલ અનુસાર, રોહિત શર્માને હવે ટેસ્ટ ટીમમાં સ્થાન ન મળે. જો આ અહેવાલ સાચો હોય તો 2024-25ની બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં રમાયેલી તેમની છેલ્લી ટેસ્ટ મેચ હતી. આ સાથે જ રોહિત શર્માની ટેસ્ટ કારકિર્દીનો અંત આવી શકે છે.
જસપ્રીત બુમરાહ હાલ ભારતીય ટેસ્ટ ટીમના ઉપ-કેપ્ટન છે. બુમરાહને ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન 2025માં ભારતીય ટીમનું કેપ્ટન બનાવવામાં આવશે. આ નિર્ણયમાં BCCI એ નોંધ્યું છે કે બુમરાહને આગામી પેઢીના ટેસ્ટ કેપ્ટન તરીકે તૈયાર કરવા માટે ખાસ કાળજી લેવામાં આવી રહી છે.
જણાવી દઈએ કે, 2024નું વર્ષ રોહિત શર્મા માટે ટેસ્ટ ક્રિકેટમાં અત્યંત ખરાબ સાબિત થયું છે. તેની બેટિંગ એવરેજ 25થી પણ ઓછી રહી છે. રોહિતે છેલ્લી 8 ટેસ્ટ મેચમાં ફક્ત 164 રન બનાવ્યા છે, જેમાં ઘણા એક આંકડાના સ્કોર સામેલ છે. આ સમયગાળામાં ભારતે તેમની કેપ્ટનશીપ હેઠળ તમામ 6 ટેસ્ટ મેચ ગુમાવી છે, જેમાં ન્યૂઝીલેન્ડ સામે ઘરમાં વ્હાઇટવોશ અને ઓસ્ટ્રેલિયા સામેની હાર સામેલ છે.
બુમરાહે અત્યાર સુધીમાં ત્રણ ટેસ્ટમાં ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું છે. 2022માં બર્મિંગહામમાં ઇંગ્લેન્ડ સામેની પાંચમી અને અંતિમ ટેસ્ટમાં તેમણે કેપ્ટનશીપ કરી હતી. પર્થમાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફી દરમિયાન તેમની શાનદાર બોલિંગ સાથે જીત અપાવી હતી.
-
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ





Click it and Unblock the Notifications
