For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સચિન ગુજરાત વિરૂદ્ધ રણજી ટ્રોફીની મેચ રમશે નહી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

sachin
મુંબઇ, 27 ડિસેમ્બર: તાજેતરમાં જ વન-ડે ક્રિકેટમાંથી સંન્યાસ લેનાર સચિન તેન્ડુલકર ગુજરાત વિરૂદ્ધ યોજાનારા રણજી ટ્રોફી મેચમાં મુંબઇ તરફથી રમશે નહી. જો કે સચિને જણાવ્યું હતું કે મુંબઇની ટીમ ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવવામાં સફળતા મેળવશે તો તે નોક આઉટ તબક્કામાં રમશે.

મુંબઇ ક્રિકેટ એશોસિએશન (એમસીએ)ના મહાસચિવ નિતિન દલાલે જણાવ્યું હતું કે તેન્ડુલકર ગુજરાત વિરૂદ્ધ શનિવારે શરૂ થનાર મેચમાં હાજર રહેશે નહી કારણ કે તે પોતના પરિવાર સાથે મસૂરીમાં રજાઓ માણી રહ્યાં છે. તેમને કહ્યું હતું કે મેં સચિન તેન્ડુલકરને પૂછ્યું હતું કે તે આ મેચમાં હાજર રહેશે તો તેમને મનાઇ કરી દિધી હતી. જો કે સચિને પોતાને નોકાઆઉટ તબક્કામાં હાજરી આપવાનું કહ્યું છે.

મુંબઇ રણજી ટ્રોફી ગ્રુપ-એ માં 20 પોઇન્ટ સાથે મધ્યપ્રદેશ સાથે ત્રીજા ક્રમ પર છે. દરેક ગ્રુપમાંથી ટોપ થ્રી માંથી ક્વાર્ટર ફાઇનલ માટે ક્વાલિફાઇ કરવામાં આવશે. પંજાબ આ ગ્રુપમાં પ્રથમ સ્થાને છે. પંજાબના 32 પોઇન્ટ છે. બાકી બે સ્થાનો માટે પાંચ ટીમ વચ્ચે ટક્કર થશે.

English summary
Sachin will not play in Mumbai's last Ranji Trophy league game against Gujarat but has made himself available for the knock-out stage if the team reaches the quarter-finals.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X