'બ્રાયન લારાએ નહી, સચિને જીતાડી છે વધુ મેચ'
નવી દિલ્હી, 18 જુલાઇ: રિકી પોટિંગ ભલે માનતા હોય કે સચિન તેંડુલકરની તુલના બ્રાયન લારાએ પોતાની ટીમ માટે વધુ મેચ જીતી હોય, પરંતુ આંકડા તેનાથી વિરૂદ્ધ દર્શાવી રહ્યાં છે અને તેમાં પોતાની ટીમ માટે મેચ જીતવાના મુદ્દે ભારતીય બેટ્સમેન કેરેબિયાઇ દિગ્ગજથી ઘણા આગળ છે.
રિકીં પોટિંગે તાજેતરમાં કહ્યું હતું કે સચિન તેંડુલકર અને બ્રાયન લારા મારી નજરમાં બે સારા બેટ્સમેન છે. લારાએ પોતાની ટીમ માટે સચિન તેંડુલકર કરતાં વધુ મેચ જીતી છે. પરંતુ જો આંકડો પર નજર કરીએ તો લારાની હાજરીમાં વેસ્ટઇન્ડિઝે ફક્ત 24.42 ટકા ટેસ્ટ મેચ જીતી છે જ્યારે સચિન તેંડુલકરની હાજરીમાં ભારતે 35.35 ટકા ટેસ્ટ મેચમાં જીત પ્રાપ્ત કરી છે. આ મેચોમાં જો આ બંનેના પ્રદર્શને જોઇએ તો પછી બ્રાયન લારાના કુલ રનોના 24.50 ટકા રન તેમની ટીમની જીત માટે કામ લાગ્યાં છે જ્યારે સચિન તેંડુલકરના મામલે આ આંકડો 37.01 ટકા છે.
સચિન તેંડુલકરે આંતરરાષ્ટ્રિય ક્રિકેટમાં જે 100 સદી ફટકારી છે તેમાંથી તે 53 સદી ભારતની જીત માટે કામ લાગી છે. ટેસ્ટ ક્રિકેટમાં તેમની સદીઓની સંખ્યા 20 જે તેમની કુલ સદીના 39.01 ટકા છે. બ્રાયન લારાએ ટેસ્ટ મેચોમાં 34 સદી ફટકારી છે પરંતુ તેમાંથી ફક્ત આઠ સદી (23.52 ટકા) જ વેસ્ટઇન્ડિઝને જીત આપી શકી છે.

જો સચિન તેંડુલકરને આ આંકડા પર પારખીને જોઇએ તો તેમની હાજરીમાં ભારતને ફક્ત 56 ટેસ્ટ મેચમાં હાર મળી છે જે તેમની કુલ મેચોની 28.28 ટકાવારી છે. સચિન તેંડુલકરે આ મેચોમાં 4088 રન બનાવ્યા છે અને તેમની ફક્ત 11 સદી ટીમના કામે લાગી છે. સચિન તેંડુલકરે પોતાના કેરિયરમાં અત્યાર સુધી 72 ડ્રો મેચમાં 20 સદી સહિત 5887 રન બનાવ્યા છે જ્યારે બ્રાયન લારાની હાજરીમાં વેસ્ટઇન્ડિઝે 36 મેચ ડ્રો કરાવી છે, લારાએ 3708 રન બનાવ્યા છે અને 12 સદી ફટકારી છે.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર





Click it and Unblock the Notifications
