For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભગવાની શરણમાં પહોંચ્યા 'ક્રિકેટના ભગવાન'

By Super
|
Google Oneindia Gujarati News

Sachin
તિરુપતિ, 2 ફેબ્રુઆરીઃ ક્રિકેટના ભગવાન ગણાતા માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે શનિવારે તિરુપતિ મંદિરના ભગવાન વેંક્ટેશ્વરની પૂજા કરી અને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ આ મહિને શરૂ થઇ રહેલી સ્થાનિક શ્રેણીમાં ટીમ ઇન્ડિયાની સફળતા માટે પ્રાર્થના કરી હતી.

મંદિર સૂત્રોએ જણાવ્યા પ્રમાણે પહેલીવાર અહીં પહોંચેલા સચિને લગભગ 20 મીનિટ મંદિરમાં રહ્યા અને આ દરમિયાન તેમણે પરંપરાગત ધોતી અને કૂર્તા પહેરીને પૂજા અર્ચના કરી. સચિને સુપ્રભાત મંત્રોચારણ સેવામાં પણ ભાગ લીધો. પૂજા બાદ મંદિર પ્રશાસને સચિનને પ્રસાદ લાડુ, પવિત્ર જલ અને રેશમના પવિત્ર કપડાં ભેટ કર્યા હતા.

બેટિંગમાં અનેક રેકોર્ડ પોતાના નામે કરનાર સચિને ખરાબ ફોર્મના કારણે વનડે ક્રિકેટમાંથી તાજેતરમાં નિવૃત્તિ લઇ લીધી હતી, પરંતુ તે ટેસ્ટમાં રમતા રહેશે. તેમણે તાજેતરમાં રણજી ટ્રોફીમાં ભાગ લીધો હતો, જ્યાં તેમની ટીમ મુંબઇ 40મી વખત ચેમ્પિયન બન્યું.

માસ્ટર બ્લાસ્ટર રેસ્ટ ઇન્ડિયા વિરુદ્ધ થનારી ઇરાની ટ્રોફીમાં ભાગ લેશે અને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 22 ફેબ્રુઆરીએ થનારી ટેસ્ટ શ્રેણી માટે પોતાની તૈયારીઓ પૂરી કરશે.

English summary
Star batsman Sachin Tendulkar offered worship at the famous hill shrine of Lord Venkateswara near Tirupati in the wee hours of Saturday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X