વિરેન્દ્ર સહેવાગ 'આતંકવાદી' છે :સાદિક
કલકત્તા, 2 જાન્યુઆરી: પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ ઓપનર બેસ્ટમેન સાદિક મોહંમદે મંગળવારે ભારતના વિસ્ફોટક બેસ્ટમેન વિરેન્દ્ર સહેવાગને 'આતંકવાદી' કહીને સંબોધન કર્યું છે. સાદિકના જણાવ્યા અનુસાર વિરેન્દ્ર સહેવાગનું બેટ જ્યારે ઉપડે છે તો તેમનો આતંક વિપક્ષી ખેલાડીઓની દશા બગાડી દે છે.
સાદિકે ઇડન ગાર્ડનમાં મંગળવારે કહ્યું હતું કે ' વિરેન્દ્ર સહેવાગ બેંટીગ કરવાનું શરૂ કરે છે ત્યારે તે 'આતંકવાદી' જેવા દેખાય છે. હું મારા શબ્દોના માધ્યમથી તેમને પુરા સન્માન આપતાં એમ કહેવા માંગું છું કે જ્યારે બોલરોની ધોલાઇ શરૂ કરે છે તો પછી તેમને રોકવા મુશ્કેલ બની જાય છે.
સાદિક ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઇ રહેલી દ્રિપક્ષીય સીરીઝના સદભાવના દૂત તરીકે ભારતના પ્રવાસ પર છે. સાદિકે પાકિસ્તાનના ઓપનર બેસ્ટમેન નાસિર જમશેદની પણ પ્રશંસા કરી હતી. સાદિકના જણાવ્યા અનુસાર નાસિરમાં લાંબી ઇનિંગ રમવાની ક્ષમતા છે.