Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

બીસીસીઆઇના વચગાળાના અધ્યક્ષ પદે ગાવસ્કર

મુંબઇ, 28 માર્ચઃ સુપ્રીમ કોર્ટ દ્વારા બીસીસીઆઇના અધ્યક્ષ પદેથી શ્રીનિવાસનને હટાવીને પૂર્વ ટેસ્ટ ક્રિકેટર સુનિલ ગાવસ્કરને વચગાળાના અધ્યક્ષ બનાવવા આવે તેમ જણાવ્યું હતું. જેને લઇને બીસીસીઆઇએ આજે સુનિલ ગાવસ્કરને બોર્ડના વચગાળાના અધ્યક્ષ બનાવ્યા છે. ગાવસ્કર આઇપીએલ-7 પૂર્ણ થાય ત્યાં સુધી બોર્ડના વચગાળાના અધ્યક્ષ રહેશે. આ તકે કોર્ટે આઇપીએલ પર રોક લગાવ્યો નથી. આઇપીએલ 7 તેના નિર્ધારિત કાર્યક્રમ અનુસાર ચાલું રહેશે.

Sunil-Gavaskar
આ અંગે મળતી માહિતી અનુસાર, સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, જ્યાં સુધી આઇપીએલ સ્પોટ ફિક્સિંગના કેસમાં કોઇ નિર્ણય ના આવે ત્યાં સુધી શ્રીનિવાસનને બીસીસીઆઇના અધ્યક્ષ પદેથી હટાવી દેવામાં આવવા જોઇએ, કારણ કે તેનાથી તપાસ પ્રક્રિયામાં વિક્ષેપ ઉભા થઇ શકે છે અને શ્રીનિવાસનને સ્થાને ગાવસ્કરને કમાન સોંપવામાં આવવી જોઇએ. કોર્ટ દ્વારા આપવામાં આવેલા સૂઝાવ પર બીસીસીઆઇએ માન્ય રાખીને શુક્રવારે સુનિલ ગાવસ્કરને વચગાળાના કમાન સોંપી હતી. બીજી તરફ કોર્ટે કહ્યું છે કે અમે આ સાથે જ આઇપીએલની કોઇપણ ટીમ પર કે કોઇપણ ખેલાડી પર રોક લગાવી નથી.

ભારતીય ક્રિકેટ ટીમના સુકાની મહેન્દ્ર સિંહ ધોનીનું નામ બહાર આવતા બીસીસીઆઇ દ્વારા જણાવવામાં આવ્યું છેકે, ધોનીએ કરેલા નિવેદનને ખોટી રીતે લેવામાં આવ્યું છે. ધોનીએ કહ્યું હતું કે મૈય્યપને ટીમ સાથે જોડાયેલા એકપણ નિર્ણય લેવાનો અધિકાર નથી. જ્યારે કોર્ટમાં એવું કહેવામાં આવ્યું કે, ધોનીએ મૈય્યપન ટીમના સભ્ય નહીં હોવાનું જણાવી ખોટું નિવેદન કર્યું હતું. બીસીસીઆઇએ કહ્યું કે આ ખોટી વાત છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X