For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

T20 World Cup: ભારતની હાર ભડક્યાં કપિલ દેવ, BCCI યુવા ખેલાડીઓને મોકો આપે!

T20 વર્લ્ડ કપમાં ખરાબ પ્રદર્શનને કારણે વિરાટ કોહલીની કેપ્ટન્સી અને ટીમ સિલેક્શન પર સવાલો ઉઠી રહ્યા છે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : T20 વર્લ્ડ કપમાં ખરાબ પ્રદર્શનને કારણે વિરાટ કોહલીની કેપ્ટન્સી અને ટીમ સિલેક્શન પર સવાલો ઉઠી રહ્યા છે. ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન કપિલ દેવ પણ માને છે કે BCCIએ હવે ભારતીય ક્રિકેટ ટીમના મોટા નામો પર આધાર રાખવાને બદલે યુવાનોને વધુ તક આપવા વિશે વિચારવું જોઈએ. કપિલનું આ નિવેદન ન્યુઝીલેન્ડ સામે ભારતની હાર બાદ આવ્યું છે. આ પહેલા પાકિસ્તાને પણ ભારતને 10 વિકેટે હરાવ્યું હતું. આ બે મેચ હાર્યા બાદ ભારતની સેમિફાઈનલમાં પહોંચવાની આશાઓ લગભગ ખતમ થઈ ગઈ છે.

Kapil Dev

કપિલ દેવે એબીપી ન્યૂઝ પર કહ્યું કે, જો આપણે કેટલીક અન્ય ટીમોના આધારે સફળ થઈએ તો તે વખાણવા યોગ્ય વાત નથી. જો તમારે વર્લ્ડ કપ જીતવો હોય કે સેમિફાઇનલમાં પહોંચવું હોય તો તમારે તે પોતાના દમ કર કરવુ પડશે. અન્ય ટીમો પર નિર્ભર ન રહેવું વધુ સારું છે. મને લાગે છે કે પસંદગીકારોએ મોટા નામો અને મોટા ખેલાડીઓનું ભવિષ્ય નક્કી કરવુ પડશે.

વર્તમાન T20 વર્લ્ડ કપમાં ભારતના ખરાબ પ્રદર્શન પાછળ ઘણા કારણો હોઈ શકે છે. બાયો બબલ્સ, સતત ક્રિકેટ અને ટીમ સિલેક્શન આ ત્રણ મુખ્ય કારણો હોઈ શકે છે. જો એમ હોય તો કપિલનું માનવું છે કે એવા ઘણા યુવા ખેલાડીઓ છે જેમણે આઈપીએલમાં સારું પ્રદર્શન કર્યું છે અને ફિટ છે. તે ભારતીય ક્રિકેટનું ભાવિ બની શકે છે.

ભૂતપૂર્વ ભારતીય સુકાનીએ વધુમાં કહ્યું કે, BCCI એ વિચારવાની જરૂર છે કે શું આઈપીએલમાં સારું પ્રદર્શન કરી રહેલા યુવાનોને તક આપવાનો સમય આવી ગયો છે. આપણે આવનારી પેઢીને કેવી રીતે સારી બનાવી શકીએ? જો તે હારી જાય તો તેમાં કંઈ ખોટું નથી, તેનાથી તેને અનુભવ મળશે. જો મોટા ખેલાડીઓ હવે પ્રદર્શન નહીં કરે અને આટલું ખરાબ ક્રિકેટ રમશે તો તેની ઘણી ટીકા થશે. મને લાગે છે કે બીસીસીઆઈએ દરમિયાનગીરી કરવી જોઈએ અને ટીમમાં વધુ યુવા ખેલાડીઓને સામેલ કરવા વિશે વિચારવું જોઈએ.

ભારતીય ટીમ T20 વર્લ્ડ કપમાં બે મેચ હારી છે. જેના કારણે તેની સેમિફાઇનલની આશા ઓછી છે. હવે જો ભારતે સેમિફાઇનલ રમવી હોય તો તેણે અફઘાનિસ્તાન સામે ન નહી તે પછીને બે મેચો પણ જીતવી પડશે. આ સાથે તેણે આશા રાખવી પડશે કે સ્કોટલેન્ડની ટીમ ન્યુઝીલેન્ડને હરાશે. જો આમ થશે તો ભારતની જેમ ન્યુઝીલેન્ડ પણ બે મેચ હારી જશે. જો આવું થાય તો ભારત અને ન્યુઝીલેન્ડ બંનેના સમાન પોઈન્ટ થઈ શકે છે અને પછી નેટ રન રેટના આધારે નક્કી કરવામાં આવશે કે કઈ ટીમ પોઈન્ટ ટેબલ પર સારી છે. આ રીતે ભારતને તક મળશે.

English summary
T20 World Cup: India's defeat sparks Kapil Dev, asks young players to give a chance!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X